Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 133
________________ પરંતુ સર્વજ્ઞ ભગવાને જે વિશાળ વિશ્વ બતાવ્યું એમાં જીવોમાં પરમાધામી સુધીના કેટલાય જીવો અસંખ્ય ખરાબ છે એમના પર હું ક્યાં દ્વેષ કરવા જાઉં છું ? અને નથી કરતો તો ય જીવને તો ચાલે જ છે પછી અહીં મળેલા અણગમતા તો કોઇ આવા પરમાધામી જેવા દુષ્ટ નથી તેમ એવી કોઇ મોટી સંખ્યામાં નથી. પછી એના પર દ્વેષ ન કરું તો એમાં મારું શું બગડે ? કોઇ જ નહીં. માટે તો એ સંપર્કમાં આવ્યા તો માત્ર જોવાના, દ્વેષથી ઉકળવાનું નહીં. આમ અહીં મનગમતા કે અણગમતા અલ્પસંખ્યક જીવો તો ભગવાને બતાવેલ રૂડા-રૂડા જીવોની સંખ્યા અને રૂડી-રૂડી ખાસિયત આગળ વિસાતમાં નથી તો જેમ એ જોય એટલે કે માત્ર જાણવા યોગ્ય, એમ આ પણ શેય એટલે કે માત્ર જાણવા યોગ્ય કિન્તુ રાગ-દ્વેષ કરવા યોગ્ય નહીં. શંકા શેય તત્ત્વ તરીકે અજીવ પર રાગદ્વેષ કેમ અટકે ? સમાધાન : એવું આપણા સંપર્કમાં આવતી ગમતી-અણગમતી અજીવ વસ્તુ માટે ય આમ વિચારવાનું કે મને પ્રાપ્ત જડ ચીજો પણ ભગવાને બતાવેલ વિશ્વની સારી-નરસી અજીવ વસ્તુ આગળ વિસાતમાં નથી. સંખ્યામાં ય નહીં અને ગુણવત્તામાં ય વિસાતમાં નહીં. દા. ત. દેવતાઇ વિમાન-વેશ-અલંકાર ક્યાં ? અને અહીં મળેલું ક્યાં ? પેલાની સુંદરતા કેવી ? એની સંખ્યા કેટલી બધી ? ત્યારે નરકના સ્થાન, નરકની ધરતી, ઠંડી-ગરમી વગેરેની આગળ અહીંનું શું વિસાતમાં ? તો જેમ હું ત્યાં રાગ દ્વેષ કરવા જતો નથી પણ એ વિષયો માત્ર શેય રહે છે, એમ અહીં મળેલા પદાર્થો પણ માત્ર શેય તરીકે જ સમજવાના પણ રાગ કે દ્વેષ કરવા લાયક નહીં. શેયતત્ત્વ તરીકેની શ્રદ્ધાથી આર્તધ્યાન અટકે : બસ, સર્વજ્ઞ ભગવાને બતાવેલ વિશ્વના સમસ્ત જીવ અને અજીવ તત્ત્વની ‘ય’ તરીકે શ્રદ્ધા-ચિંતવનાં કરાય એટલે આપણને મળેલા જીવઅજીવ પદાર્થ પણ એવા એટલે કે માત્ર જોય લાગે, રાગ-દ્વેષ કરવા યોગ્ય નહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192