Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 164
________________ ચાવવા-ગળવાનું કરી શકે ? હવે જ્યારે આત્માનો પ્રયત્ન-પુરુષાર્થ એમાં કામ કરે છે, તો પછી સવાલ આ છે કે શું આત્મા કશો ભાવ રાખ્યા વિના જ એ પુરુષાર્થ કરે છે ? ના, અંદરમાં તેવા તેવા ભાવ કામ કરે જ છે દા.ત. પાણીને બદલે દૂધનું આકર્ષણ છે, રાગ-આસક્તિનો ભાવ છે માટે તો પૂરી ઊઠાવી હાથ દૂધ તરફ લંબાવાનો પુરુષાર્થ થાય છે, પાણી તરફ નહિ. પૂરી-દૂધ-શાક, મગની દાળ, વગેરેને અલગ અલગ રાખી એના કોળિયા વારા ફરતી ઊઠાવવાનો ચોક્કસ પ્રયત્ન-પુરુષાર્થ શુન્ય મનથી નહિ, પણ સમજપૂર્વક જ થાય છે. અંદરમાં એવી આસક્તિનો ભાવ છે. માટે તો બધુંજ મિશ્રણ કરી પી જવાનું નથી કરતું. આ પરથી સમજી શકાશે કે, બાહ્ય ખરાબ પ્રવૃત્તિ અંદરના ભાવ બગાડે એ પણ સમજાય એવું છે. અલબત્ત, જે મહાત્માને અંદરમાં એવી આસક્તિનો ભાવ નથી, એ બધું ભેગું ભેળવીને ખાઇ જાય છે. બસ, વાત આ છે કે સરાગીને આહારદિમાં પ્રવૃત્તિ અંદરના ભાવ પૂર્વક થાય છે એ હકીકત છે. તેથી યથેચ્છ ખાનપાનાદિ પ્રવૃત્તિમાં આહા૨સંજ્ઞા-૨સસંજ્ઞા-વિષયસંજ્ઞાના ભાવ સારી રીતે પોષાતા રહે છે; અને જેટલા પ્રમાણમાં ત્યાગ-તપ-વ્રત નિયમ આચરતો રહે છે, એટલા પ્રમાણમાં આહા૨સંજ્ઞા વિષયસંજ્ઞા ઓછી પોષાય છે, ત્યારે, જો કશા ત્યાગ-તપ નથી, વ્રત-નિયમ નથી, ને યથેચ્છ આહારપ્રવૃત્તિ છે, વિષય સેવન છે, તો એની સંજ્ઞા અંદરમાં સારી રીતે પોષાતી રહે એમાં શી નવાઇ ? પછી દેવદર્શનાદિ સાધના વખતે તો શું પણ નિશ્ચયધર્મવાદીની આત્મતત્ત્વ વિચારની સાધના વખતે ય પેટમાં કૂકડા બોલતાં અંદરખાને એ સંજ્ઞાના ભાવ કેમ દખલ નહિ કરે ? ૧૨૭ 1 " d અસંયમથી રાગ કે રાગથી અસંયમ ? જો અસંયમથી રાગ કહો તો શું રાગ વિના અસંયમ જન્મે ખરો ? એમ હોય તો વીતરાગને ય તે જન્મવો જોઇએ ! ત્યારે જો રાગથી અસંયમ કહો તો તો મુખ્યપણે રાગ જ દબાવવો જોઇએ ને ? (૧) અસંયમથી રાગ પુષ્ટ થાય છે. ૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192