Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 176
________________ સોભાગી મહિમાનીલો, વિજયામાત મલ્હાર, રે જિનસેવના, ભવોભવ તાહરી હોજો એ મનકામના.” શું કહું? પ્રભુ! તારું મુખ, તારી વીતરાગ મુદ્રા, એનું દર્શન મળે તો સકલ પદાર્થ પામી જઈએ. શું વીતરાગ ભગવાનના મુખદર્શનનો આટલો મોટો લાભ ?સકલ પદારથ એટલે તો મોટી રાજઋદ્ધિ ઇન્દ્રપણું ચારિત્ર અને ઠેઠ કેવળજ્ઞાન તથા મોક્ષ સુધીના પદાર્થ ગણાય. એ શું વીતરાગની મુદ્રાનાં દર્શનથી મળે? હા, આમાં અતિશયોક્તિ નથી. દર્શન કરતાં આવડવાં જોઇએ. જેટલી ચડિયાતી શ્રદ્ધા, જેટલા ચડિયાતા ભક્તિભાવ સાથેનાં વીતરાગ મુદ્રાનાં દર્શન, એટલા ઊંચા પદાર્થની પ્રાપ્તિ. એની પરાકાષ્ઠાએ પરાકાષ્ઠાનું ફળ. આનું કારણ સ્પષ્ટ છે. (૧) જેવા જેવા શુભ કે અશુભ ભાવ, એવું એવું પુણ્ય કે પાપ બંધાય એમ ઉપદેશમાળા શાસ્ત્ર કહે છે. આ હિસાબે ઊંચા શુભ ભાવથી ઉચ્ચ કોટિનું પુણ્ય બંધાઇને એના ફળમાં ઊંચી કોટિના પદાર્થ મળે એમાં નવાઈ નથી. વળી, (૨) જેટલા ઊંચા વિશુદ્ધ અધ્યવસાય, એટલી ઊંચી ગુણસ્થાનકની પાયરીએ ચડાય, એ નિયમ છે. એ હિસાબે અધ્યવસાયની વિશુદ્ધિ વધતાં વધતાં ગુણસ્થાનકોના ઘરના સમ્યકત્વ, દેશવિરતિચારિત્ર, સર્વવિરતિચારિત્ર.. વગેરે વગેરે ઊંચા પદાર્થ મળતાં રહે અને વિશુદ્ધિની પરાકાષ્ઠાએ વીતરાગભાવ તથા કેવળજ્ઞાન મળે, પછી મોક્ષ તો હાથબેંતમાં થાય, એ સહજ છે. હવે જોઇએ તો વીતરાગ અરિહંત ભગવાનની મુખમુદ્રાનાં દર્શનમાં જો એવા પરાકાષ્ઠાના શુભ ભાવ ઉલ્લાસાવાય, તો આ જગતની પરાકાષ્ઠાની સંપત્તિ મળે, તેમજ પરાકાષ્ઠાના વિશુદ્ધ અધ્યવસાય ઉલ્લાસાવાય, તો પરાકાષ્ઠાની આત્મસંપત્તિ વીતરાગ સર્વજ્ઞતા મળે એ સહજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192