Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 145
________________ વચનથી કે કાયાથી સુક્ષ્મ પણ હિંસા અસત્યાદિ પાપ સેવીશ નહિ, સેવરાવીશ નહિ-સેવતાને આ ઠીક કરે છે એમ સારો માનીશ નહિ.'' એવી ત્રિવિધે પાપ ત્યાગની ભીષ્મ પ્રતિજ્ઞા હોય છે. ત્યારે જૈનેતર મતની સંન્યાસ દીક્ષામાં એટલી હદ સુધીની પ્રતિજ્ઞા નથી, અતિસૂક્ષ્મ કોટિનો પાપત્યાગ નથી. તેમ આચાર પણ એટલા સુક્ષ્મવિવેકના નથી. સંન્યાસી તો પોતાના માટે બનાવેલ ભિક્ષા મળે તો ય તે લઇ લે છે, ત્યારે જૈન સાધુ એ ન લે, કેમકે એમાં હિંસાની અનુમોદના લાગે. આમ, સમ્યક્ત્વ નથી છતાં સર્વજ્ઞકથિત મહાવ્રતના વફાદારીપૂર્વકનાં પાલનનું ઊંચુ મૂલ્ય, ઊંચુ ફળ છે. છતાં જો એની વિરાધના કરે, ભંગ કરે, તો એમાં વફાદારી-ગુમાવ્યાથી અલ્પવ્રતના વિશુદ્ધપાલનના ફળ કરતા નીચું ફળ આવીને ઉભું રહે છે. એ પૂર્વોક્ત ભગવતી સૂત્રનું તાત્પર્ય છે. Q શું જિનશાસન પામેલાને કોઇ તકલીફ વિટંબણા નથી જ ઊભી થતી ? ભગવાનનું શાસન પામેલો નિર્ભય બને છે તેમ કેમ કહેવાય | ૧૧૦ છે ? مسا ન જ થાય એમ નહિ પરંતુ, (૧) જિનશાસન સમજાવે છે કે ત્રાસ-તકલીફ પોતાના પૂર્વના પાપકર્મ વિના આવતી જ નથી. તમે ત્રાસ ખસી દૂર થતાં નથી. એટલે, એનાં હઠીલા કર્મકચરાને દૂર કરાવી આપનારી ત્રાસ તકલીફ તો સૂજ્ઞને મન ઉત્સવરૂપ છે. એમાં પછી ભય શો ? (૨) બીજ, જિનશાસન પામ્યાથી એ પણ સમજે છે કે બહારના ત્રાસ તકલીફ આત્માનું કશું લૂંટી શકતા નથી, જો આત્મા સાવધાન હોય તો, માટે ભય શો રાખવો ? વળી, (૩) જિનશાસનના પ્રણેતા શ્રી અરિહંત પરમાત્મામાં અચિંત્ય શક્તિ છે કે એમનું સમ્યક્ આલંબન કરનારાના સર્વ ભય દૂર થઇ જાય છે. (૪) માત્ર અટલ શ્રદ્ધા જોઇએ કે જિનશાસન જો આપણી પાસે નથી Jain Education International ૧૩૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192