Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 143
________________ ઓછું રહે, મન નમસ્કાર ક્રિયામાં જ સ્થિર રહે, આ બધા દ્રવ્ય સંકોચ કહેવાય. ભાવસંકોચમાં હૃદયના ભાવને બહાર વિષયો વગેરેથી સંકોચી નમસ્ક૨ણીય પ૨ સ્થાપિત કરવાનો; અથવા રાગ-દ્વેષ-મોહ-મદ-મત્સર વગેરે અશુભ ભાવોનો સંકોચ કરી શુભ ભાવમાં આવવાનું, નમસ્કાર સંબંધી શુભભાવ જાગ્રત રાખવાનો. આ ભાવસંકોચની પાયાથી માંડીને ઉપર ઉપર અનેક કક્ષાઓ છે. એમ અપુનર્બંધક અવસ્થાના ભાવથી ઠેઠ વીતરાગ અવસ્થાના ભાવ સુધીના ભાવો પામવાના આવે. એ બધો મોક્ષમાર્ગ છે, મોક્ષ પામવાના ઉપાય છે. માટે કહેવાય છે કે નમસ્કારમાં મોક્ષમાર્ગ છે. (૨) પંચ પરમેષ્ઠીમાં તત્ત્વજ્ઞાન છે તે આ રીતે - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાયને સાધુ એ પાંચનું સ્વરૂપ વિચા૨વામાં જીવ, અજીવ, આદિ તત્ત્વોની વિચારણા જરૂરી બને છે. દા.ત. સાધુ સુક્ષ્મ બાદર જીવોની હિંસાથી ત્રિવિધે ત્રિવિધ વિરામ પામેલા છે, તો તે જીવો ક્યા ક્યા, એની સમજ કરવી જ પડે. એમ સાધુ આશ્રવના ત્યાગી અને સંવરના ઉપાસક છે, એમાં આશ્રવ-સંવર તત્ત્વની સમજ આવે. સાધુમાં જ્ઞાનાચારાદિ પંચાચાર છે. એમાં તપાચાર આવ્યો, એ નિર્જરા તત્ત્વ આવ્યું. સિદ્ધ ભગવાન મોક્ષ પામેલા છે, ત્યાં મોક્ષ તત્ત્વની સમજ આવી. એમ એમનામાં આઠ કર્મના ક્ષયથી આઠ ગુણ પ્રગટ થયેલા છે. તો ત્યાં આઠેય કર્મ, એનો બંધ, વગેરે બંધ તત્ત્વાદિનું સ્વરૂપ સમજવાનું આવે. ટુંકમાં પાંચેય પરમેષ્ઠીની ઓળખમાં તત્ત્વોની ઓળખ આવે. એટલે કહેવાય કે - નવકાર મંત્રમાં જિનશાસનનું હાર્દ જે મોક્ષમાર્ગ અને તત્ત્વજ્ઞાન તે સમાયેલું છે. માટે નવકાર એ જિનશાસનનો સાર છે. ૧૦૯ શ્રી ભગવતી સૂત્ર કહે છે કે વિરાધક સંયમી મરીને વિરાધિત સંયમના લીધે વધુમાં વધુ પહેલા દેવલોક સુધી જ જાય. જ્યારે મિથ્યાદ્દષ્ટિ સંન્યાસી મરીને ઠેઠ પાંચમાં દેવલોક સુધી જઇ શકે. Jain Education International ૧૩૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192