________________
જરૂર બન્યું રહે. વાત એટલી છે કે આ વસ્તુ, જડ વૈભવ-વિલાસ નહિ પણ અનંતા આત્મવૈભવ-વિલાસની ઉત્કટ ભૂખ લાગી હોય તો બને.
૧૦ર
હેય અને ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન જીવનમાં અશુભની નિવૃત્તિ અને શુભની પ્રવૃત્તિ માટે ઉપયોગી બને. પણ, જે તત્ત્વો માત્ર શેય છે તેને
' જાણીને શું કરવાનું? | | શેય તરીકે માન્યા પછી એટલે કે ખાલી જાણવા લાયક માન્યા પછી ' હૈયાને લાગે કે આના પર રાગ-દ્વેષ કરવા લાયક નહીં. ગમતા
પ્રત્યે રાગ અને અણગમતા પ્રત્યે દ્વેષ કરવા યોગ્ય નહીં. માત્ર ઉદાસીન ભાવે નિરખવા યોગ્ય. આમ હૈયાને લાગી જવાથી પછી એ જાઓ કે સર્વજ્ઞ ભગવાને જે જીવો અને અજીવોનો બોધ આપ્યો છે એ એટલી બધી વિશાળ સંખ્યામાં છે કે એમાં મારી સાથે આવતા વિષયો તો વિસાતમાં નથી તો આના પર શા રાગ દ્વેષ કરવા જેવા છે :
જીવો પર રાગદ્વેષ અટકાવવા આમ વિચારાય:
દા. ત. મને ગમતા વિષયોમાં જીવ તરીકે પત્ની, પુત્ર, પુત્રી કે સ્નેહી સંબંધીઓ યા જોવા મળતી અમુક ગણતરીની જ સ્ત્રીઓ વગેરે જ નજરમાં આવવાની પરંતુ જ્ઞાનીએ ઓળખાવેલ જીવોમાં તો સ્વર્ગમાં અને મનુષ્ય લોકમાં રૂપાળા કહ્યાગરા સેવાભાવી કેટલાય દેવો દેવીઓ અને નર-નારીઓ છે. એ મહાજાથની આગળ મળેલી સંખ્યા સમુદ્રમાં એક ટીપા તુલ્ય છે તો એમ તો રાગ કરવો હોય તો તો એ બધા ક્યાં ઓછા છે ? પરંતુ ક્યાં હું એના પર રાગ કરવા જાઉં છું? અગર એ કરવા જાઉં તો ય શું વળે ? જોવા ય મળવાના નથી તો ભોગવવાની વાતે ય ક્યાં ? ત્યારે જો એવા મહારમણીય અને કેટલા ય બધા રૂપાળા જીવો પર રાગ કર્યા વિના ચાલી શકે છે તો પછી અહીં મળેલ નિર્માલ્ય અને અતિ અલ્પ જીવો પર રાગ ન કરૂં તો શો વાંધો આવે ? એ સંપર્કમાં આવ્યા તો ભલે આવ્યા. મારે તો માત્ર જોવાના. પણ એના પર રાગથી ઓવારી જવાનું નહીં.
એવી રીતે અહીં સંપર્કમાં આવતા અણગમતા જીવો પ્રત્યે દ્વેષ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org