________________
૪૬૬. જ્યારે જાનવરો દેખે ત્યારે તેમની પાછળ યતનાપૂર્વક જાય. વર્તનમાં પ્રમાદ કરે નહિ, ઉપસર્ગો અડે તો તે સહન કરે.
૪૬૭. હણાય તો કોપાયમાન ન થાય, બોલતા ક્રોધ કરે નહિ, સારા મનથી દુ:ખો સહે, પણ કોલાહલ ન જ કરે.
૪૬૮. કામેચ્છા થાય, તે રસ્તે ન જા, વિવેકથી તે શાંત કરે, આર્યોથી શીખે, હમેશાં જ્ઞાનીઓના સમીપે રહે.
૪૬૯. સારા જ્ઞાની અને શ્રુતવત્સલ વિદ્વાનની સુશ્રુષા કરે તે વીરો આત્મ પ્રજ્ઞાવાન્, ધૃતિમાન્ અને જિતેન્દ્રિય હોય છે.
૪૭૦.તેમનાં ઘેરે દીપક ન હોય છતાં એ તે પુરુષોના આકર્ષક છે. તે વીર બંધનોથી મુક્ત છે, તેમને જીવવાની આશા નથી હોતી.
૪૭૧. તે શબ્દોનાં પાશમાં પડતા નથી અને આરંભ સમારંભથી દૂર છે. આ સઘળું સિધ્ધાંતમાં કહેલું છે કે જે મેં અહીં ઘણું કહ્યું છે.
૪૭૨. પંડિત જ્યારે જાણે કે બહુ જ માન અને માયા થાય છે ત્યારે આ સઘળાને ત્યાગે અને મુનિ નિર્વાણ સાંધે.
આમ હું કહું છું. અધ્યયન નવમું સમાપ્ત થયું.
123