Book Title: Sutrakritang Skandh 01
Author(s): Kantilal Kapadia
Publisher: Kantilal Kapadia

View full book text
Previous | Next

Page 148
________________ પ૨૬. જ્યારે ઝરતી નાવમાં આંધળો માણસ ચડે છે અને તે પાર જવા ઇચ્છે છે, પણ તે અધવચ્ચે ડૂબી જાય છે. , પર૭. હે મિથ્યાત્વી અનાર્ય શ્રમણ ! ભવિષ્યમાં આવતા મોટા ભય વડે કે સંકટ વડે મોટો શોક પામીશ. પ૨૮. આ ધર્મનો અંગીકાર કરે આમ કાશ્યપ મુનિએ કહ્યું છે. તેથી તું સંસારના મહાઘોર પ્રવાહને તરી જઈશ. તું અધ્યાત્મ વિચરતો રહે. પ૨૯. જે કોઈ આ લોકમાં જીવે છે, તે ગ્રામધર્મથી વિરતિ લે. ત્યાં જાતે વિચાર કરી, જરા પણ થોભવાનું વર્જ. પ૩૦. પંડિત જ્યારે જાણે કે બહુ જ માન અને માયા થાય છે ત્યારે આ સઘળાને ત્યાગ અને મુનિ નિર્વાણ સાંધે. ૫૩૧. સમ્યફધર્મથી જોડાય અને પાપી ધર્મને છોડે. તપના બળથી મુનિ ક્રોધ અને માનને ત્યાગે. પ૩૨. જે બુદ્ધ થઈ ગયા છે અને ભવિષ્યમાં થશે, તેઓએ આ જગમાં રહેતાં જીવોમાં શાંતિ સ્થાપી છે અને સ્થાપશે પણ. પ૩૩. હવે અહીં જ વંટોળિયું આવ્યું છે, તે ઉચ્ચ અને નીચ માણસોને (જીવોને) અડે છે. જેમ વાયુથી પર્વત ન હલે તેમ તું તેથી હણાય નહિ તે વિચાર. પ૩૪. વીર સુવતી મુનિ પોતાને આપેલું જ ખાય. કાળની ઇચ્છા કરી નિવૃત્તિ લે. આ છે કેવળી ભગવાનનો મત. આમ હું કહું છું. અગિયારમું અધ્યયન સમાપ્ત થયું.

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180