________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેરી, પૂજનાં ઉપકરણે લઈ શુભ ભાવના ભાવતા જિનમંદિરે જવું. રસ્તામાં કોઈ અશુદ્ધ વસ્તુને સ્પર્શ ન થઈ જાય એ ધ્યાનમાં રાખવું.
શ્રી જિનમન્દિરમાં પ્રવેશ. દેરાસરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં મન, વચન અને કાયાએ કરીને ઘર સંબંધી વ્યાપાર–અર્થ અને કામ–ના ત્યાગ રૂપ ત્રણ વખત પહેલી “નિશીહિ' કહેવી. છેટેથી પ્રભુનું મુખ જોતાં ભક્તિપૂર્વક બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી “નમો જિર્ણોણું' બોલવું.
જ્યાં પ્રદક્ષિણ ફરી શકાય ત્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા ફરતાં અને ફર્યા પછી પણ દેરાસરમાંથી આશાતના ટાળવા બનતું કરવું. પછી મૂળનાયક પ્રભુની સન્મુખ જઈ સ્તુતિના શ્લોક બેલવા. પુરાએ જમણું અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઉભા રહેવું. સ્તુતિ બોલતી વખતે પોતાનું અધું અંગ નમાવવું.
For Private and Personal Use Only