Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 13 Acharya Shri Kailassagarsuri Gyanmandir તન મન અને ધન વડે મુનિ સદ્ગુરૂને સહાય આપવારૂપ ભકિતને સાચવે છે, મુનિ ગુરૂની છાનામાં છાની વાતને જાણવાને તે અધિકારી બને છે, અને ગમે તેવા કારણ પ્રસંગે પણ મુનિના ઉપરના પ્રેમ ત્યાગતો નથી, મુનિના દુ:ખે દુ:ખી થાય છે. મુનિ ગુરૂનાં દર્શન કર્યાં વિના તેને ચેન પડતું નથી. મુનિ ગુરૂને પંચાચાર પાળવામાં બનતી વૈયાવચ્ચ કરે છે. ગંભીર મનને થઇ મુનિ ગુરૂનાં વચનેને અન્યાની આગળ પ્રકાશતા નથી. ધમ કામાં મુનિ ગુરૂની સલાહ લેઇ વર્તે છે, પાત:ના આત્માના કલ્યાણાર્થે મુનિ ગુરૂની પાસે જઇ તત્વના એધ ગ્રહણ કરે છે, અને પોતાના અધિકાર પ્રમાણે ધર્મ માતે ગ્રહણ કરે છે. પોતાના મનમાં ઉદ્ભવતી શકાને પુછીને નિઃશંક મન કરે છે. મુનિ ગુરૂના ઉપર પૂર્ણ વિશ્વાસ ધારે છે. મુનિ ગુરૂની આજ્ઞા મસ્તકે ચડાવે છે. અને પોતાના મનમાં કંઇ પણ છાનું રાખી ભેદ ભાવ ધારણ કરતા નથી. મનમાં જુદું અને વાણીમાં જુદું એમ શાપણું તે ધારણ કરતા નથી. શ્રી ગુરૂથી કદાપિ કાળે પ્રાણાન્તે પણ ભિન્નતા ધારણ કરતા નથી. મુનિ ગુરૂપર સહેાદર કરતાં પણ તે વિશેષ સ્નેહ ભાવને ધારે છે. કેટલાક શ્રાવકો શાકય સમાન હોય છે. સાધુઓના છિદ્ર જોવા અનેક પ્રપંચે રચે છે. તે શાકની પેઠે શાધુએ ઉપર અદેખાઇ કરે છે. સાધુની એક સરાવ જેટલી ભુલને તે લકાના મુખે મેરૂ પર્વત જેવડી કરી બતાવે છે. સાધુઓની હેલના કરવા પોતાના મનમાં ધવલ શેઠની પેઠે જે જે પ્રપંચે ગેાઠવવા પડે તે ગેાઠવે છે. આડી અવળી સાધુઓની જુડી નિન્દાની વાતને ફેલાવે છે. તેવા શાક્ય સમાન શ્રાવકો સાધુઓ ઉપર અનેક પ્રકારનાં આળ ચઢાવે છે. દૂધમાંથી પેારા કાઢવાની પેઠે તે સાધુએના ગુણાને પણ અવગુણુ તરીકે લેાકેાની અગળ દેખાડે છે. વાતવાતમાં સાધુઓને ક્રોધ થાય તેવા મામિક વચનેને ખેલે છે. તેવા શાકય જેવા શ્રાવકા પોતાની પક્ષપાત બુદ્ધિને અનુસારે સાધુઓની નિન્દા થાય તેવી વાત કહે છે. આહાર-વિહાર ઉપદેશ વગેરેમાં સાધુઓના દોષ કાઢે છે. જિનકલ્પી જેવા સાધુઓના આચારેને બતાવી, બાળા લાને આડે માગે દેરી સાધુએથી વિમુખ કરે છે. સાધુઆના મુખે હા જી હા કરે છે, અને પૂંઠે પાછળ ફાવે તેમ નિન્દા કરે છે. સાએની પૂજા, ભકિત થતી દેખીને તેવા શ્રાવકા શાકયની પેઠે મનમાં બન્યા કરે છે. હજારી ગુણા મુકીને સાધુમાં રહેલા એક દેષને જ્યાં ત્યાં ખેાલ્યા કરે છે, અને નિન્દાથી પોતાના આત્માને ભારે કરે છે, શાકયની દ્રષ્ટિથી સાએમાં ગમે તે દોષો જોયા કરે છે. અમુક સાધુતા પાખંડી છે. અમુક સાધુતા ધૃત છે. અમુક સાધુનેતે વન્દન પણ ન કરવું જોઇએ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44