Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિત એટલે આ ભવમાં અને પરભવમાં કલ્યાણ કરનાર અને અનવઘ (પાપ રહિત) જિનપૂજા વગેરેને સમ્યગૂરીયા પ્રતિક્રમણ વગેરેને આચ રતે થકે ભાવશ્રાવક મૂના હસવાથી લજજાયમાન થતું નથી. જેઓએ જૈનધર્મની ક્રિયાઓનું રહસ્ય જાણયું નથી. તેઓ ધામિકક્રિયા કરના રાઓને હસી કાઢે એમાં કંઈ આશ્ચર્ય નથી, ધર્મની ક્રિયાઓથી અજ્ઞ એવા લકાની હાંસીથી ભાવશ્રાવકે ધર્મ ક્રિયા કરતાં શરમાતા નથી. તેમજ કાઈનાથી ડરી જઇને ઘર્મ ક્રિયાઓથી પરામુખ પણ રહેતા નથી, ધામિક ક્રિયાઓનાં રહસ્યો જાણીને તતતત ક્રિયાઓને પ્રેમથી આકરે છે. અમુક ભાપાના પ્રેફેસરે વગેરે કેટલાક સુધરેલાને ફાંકે રાખનાર ધાર્મિક ક્રિયાઓ કરતાં અમારી અન્ય સુધરેલા લોકો મશ્કરી કરશે. એવું જાણી ધર્મનીક્રિયા એને આચરવાથી દૂર રહે છે. એમ પણ છ જુદા જુદા કારણોથી ધર્મમાં પ્રવૃતિ કરતાં શરમાય છે અને તેથી તેઓ મત લેકોની ટીકાથી ડરકુમી જેવા બની જાય છે. આવા પ્રકારના શ્રાવકે ધાર્મિક ક્રિયાઓમાં પ્રવૃતિ કરી શક્તા નથી. ધર્મની ક્રિયા કરવામાં લજજા રાખે છે તે ખરેખર મુખ છે. પિતાના હિતને તે સમજી શકતો નથી. ભાવશ્રાવક વખતસર ધાર્મિક ક્રિયાઓને આદરભાવથી આચરે છે. કે ઈ ધર્મનું પૂતળુ, ભગત વગેરે શબ્દોથી ચીડવે પણ તે ધાર્મિક ક્રિયાઓનાં રહસ્યોને પૂર્ણપણે સમજીને ક્રિયાઓને આચરે છે. ચિન્તામણિ રત્ન કરતાં પણ અનના ગુણ અધિક એવી ધર્મ ક્રિયાને સમજીને તેમાં આદરભાવથી પ્રવૃત્તિ કરે છે. કેટલાક લેકે સમૂછિમની પડે અથવા ગાડરીયા પ્રવાહની પેઠે ધાર્મિક ક્રિયાનું ઉદદેશ પૂર્વક મૂળ રહસ્ય જાણ્યા વિના તેમાંવૃતિ કરે છે. તેથી તે ધાર્મિક ક્રિયા વડે સાધ્ય ત. વને સાધી શકતા નથી માટે ધાર્મિક ક્રિયાઓનું ઉદેશ પૂર્વક મૂળ રહસ્ય જાણવું જોઈએ અને ધર્મ ક્રિયા કરતાં કોઈપણ લજજા આદિ કારણથી જરા માત્ર સંકોચાવું જોઈએ નહી. ભાવ શ્રાવકે સમ્યગૂજ્ઞાનથી તત્ત્વને જાણીને પશ્ચાત આદરવા યોગ્યને આદરે છે. પિતાના અધિકાર પ્રાપ્ત થયેલું ચારિત્ર ઉચ્ચ કરવા પ્રયત્ન કરે છે. દેશ વિરતિ ધર્મ કિયામાં પ્રવૃતિ કરીને આત્મ કલ્યાણ કરે છે, સિદ્ધાન્તોના આધારે ધામિક ક્રિયાઓને આદરવી જોઈએ. ભાવશ્રાવકો યથા શકિત ક્રિયામાં આદર કરે છે પણ અન્ય મનુષ્ય નન્દા કરતા નથી ક્રિયાનું અજીર્ણ નિન્દા છે. જે ક્રિયા વાદી હોય છે તે પ્રાયઃ નિન્દા કરનારો હોય છે. માટે ભાવશ્રાવકોએ ધાર્મિક ક્રિયાઓને કરતાં નિદા વગેરે દોષોની ઉત્પત્તિ ન થાય તેમ ઉપયોગ રાખવો એમ વસ્તત; સિદ્ધ કરે છે. આત્માની શુદ્ધિ માટે ભાવશ્રાવકે ધર્મક્રિયા કરે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44