________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ બાહ્યથી તે સંબંધવાળો દેખાય છે, પણ અન્તરથી તે કાંસાના પાત્રની પેઠે નિર્લેપ રહે છે. ભાવશ્રાવક, અત્તરથી ઉત્તમ અપ્રતિબદ્ધતાને ધારણું કરતો છતે બાહ્યમાં વિદ્યામાં મમ ભૂંડની પેઠે મુંઝાતો નથી. બાહ્ય પદાર્થોના સંબંધથી આર્તધ્યાન અને રોદ્રધ્યાન તે કરતે નથી. બાહ્યપદાર્થોની પ્રાપ્તિ માટે હાયવરાળ કરી અનેક પ્રકારની ચિન્તા કરી દીન બની જ નથી. બાહ્ય વસ્તુઓને સંયોગ એજ ઈષ્ટ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરતો નથી. અન્તરથી અપ્રતિબદ્ધ હાઈ બાહ્યના પ્રતિબંધને પણ ભાવશ્રાવક વખત આવે છે તે તજીને ભાગવતી દીક્ષા અંગીકાર કરે છે. ભાવશ્રાવકો શ. રીરને પિષે છે તે ધર્માદિની પુષ્ટિ માટેજ સમજવું. સંસારમાં જે જે પદાર્થોના સંબંધ થાય છે તે તે ક્ષણિક છે એમ નિશ્ચય થવાથી ભાવશ્રાવક સંસારમાં આસક્તિ કરતો નથી. ગૃહસ્થાવાસને અધિકાર પ્રમાણે સાંસારિક ઉચિત સંબંધના વ્યવહારને દેશકાળ પ્રમાણે સાચવે છે, પણ તેનું હૃદય જે જોવામાં આવે તે અપ્રતિબદ્ધ દેખાય છે. ભાવશ્રાવકની આવી ઉત્તમદશાથી રાગદેષના પરિણામ બહુ લુખા પડી જાય છે. ધાવમાતા જેમ બાળકને ખેલાવે છે પણ અન્તરથી તેને સંબંધ હોતું નથી, તેવી રીતે ભાવશ્રાવક પ્રતિબંધ સંબંધનો ત્યાગ કરે છે અને તેથી અવસર આવે તે ભાવત્રાવક દીક્ષા અંગીકાર કરે છે તો સાધુ થયા બાદ વાયુની પેઠે અપ્રતિબદ્ધતાએ વિચરે છે અને મૂળરૂપ પરિગ્રહમાં ફસા નથી. ઉત્તમ એવો ભાવશ્રાવકનો પારો ગુણ પ્રાપ્ત કરવા મનુષ્યોએ પ્રયત્ન કરવો જોઈએ. પ્રતિબંધ સંબંધને ત્યાગ કરનાર સંસારમાં પરના અ. નુરોધ વડે ફકત કામગમાં પ્રવર્તે છે. માટે પનરમો ગુણ કહ્યા બાદ હવે સોળમા ગુણને કહે છે. भावश्रावकना शोलभा गुणने कहछे.
___ गाथा संसार विरत्तमणो-भोगुवभागा न तित्तिहेउत्ति,
नाउं पराणुरोहा-पवत्तए कामभाएसु ॥ १६ ॥ ભાવાર્થ–સંસારથી વિરક્ત મનવાળો ભાગપભોગને તૃપ્તિ હેતુભૂત નથી. એમ જાણીને ફકત પરના અનુરોધથી (સ્વજનાદિની દાક્ષિણ્યતાથી) કામ ભાગોમાં પ્રવર્તે છે.
ભાવભાવક એમ જણે છે કે આ સંસાર અનેક દુઃખથી ભરપૂર છે. પ્રથમ તે સંસારમાં ગર્ભવાસનું દુઃખ મુખથી કચ્યું ન જાય તેવું છે. વૃદ્ધાવ
For Private And Personal Use Only