________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવથી અસત્ય વચન બેલાય છે. રાગ દ્વેષ રહિત વિતરાગ દેવને જૂઠું બોલવાનું કંઈ પણ પ્રયોજન નથી. હાલ પિસ્તાળીશ આગમ વગેરે જેજે જૈનધર્મનાં પુસ્તક હેય તેનું બહુમાન કરવું અને આગમના આધારે સર્વ ધર્મની ક્રિયાઓ કરવી જોઈએ. હાલના કાળમાં આગ વિના અન્ય કઈ આધાર પ્રમાણમાં નથી. આગમાનુસારી ક્રિયાઓને આધકાર પ્રમાણે આદરવી પણ કદાપી કે ક્રિયાને છેદ કરવો નહીં. કેટલાક બુદ્ધિમાં જે ગમ્ય થાય છે તેને માને છે બાકીનું સઘળું જુઠું માને છે એવા સ્વમતિમાન્ય આગ્રહીઓ જેન સિદ્ધાંતનાં સૂક્ષ્મ તો કે જે છઠ્ઠસ્થ મનુષ્યની બુદ્ધિમાં ગમ્ય થાય નહીં તેવાં તત્તવોની તેવાઓ શ્રદ્ધા ધાણુ કરી શક્તા નથી. અલ્યબુદ્ધિથી મનુષ્ય કોઈપણ પદાર્થોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાને શકિતમાન થતા નથી અલ્પબુદ્ધિ રૂ૫ દર્પણમાં સર્વ પદાર્થોને પરિપૂર્ણ ભાસ પડે નહીં. માટે અલ્પબુધ્ધિ ગમ્ય સિદ્ધાન્ત કરવાની હિંમત સર્વથા કેમ થઈ શકે ? જિનેન્દ્રોને કેવલજ્ઞાન હતું. કેવલજ્ઞાનમાં સર્વ પ્રકારના પદાર્થો ભાસતા હતા માટે તીર્થ કરે કથિત આગમજ મેક્ષ માર્ગમાં પ્રમાણ ભૂત માનવાં જોઈએ. પિતાની બુદ્ધિરૂપ દર્પણમાં જિનાગનો પૂર્ણ ભાસ થાય નહીં તેમાં પોતાની બુદ્ધિને દોષ છે પણ જિનાગમોને દોષ નથી. ઈંગ્લીશ વગેરે ભાષાઓ ભણીને મનુષ્યો. બીએ. એમ. એ બને તે પણ તેથી કંઈ સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જિનાગોને જાણીને તેની શ્રદ્ધા કરવાથી જ સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થાય છે. કદાપિ અજ્ઞાનના યોગે જેને સિદ્ધાન્તનાં પરમાર્થો ન સમજાય તેમાં પોતાની અજ્ઞાનતાનો દેશ સમજ પણ તેથી જેનાગોપર આક્ષેપ કરવો ઘટતું નથી. જેનગમનાં રહસ્ય ગુરૂગમ–પૂર્વક સમજવાં જોઇએ. અને જૈનાગમને અનુસરીને ધર્મની ક્રિયાઓને અધિકાર પ્રમાણે યથાશકિત આદરવી. જે તીર્થંકરપ્રણીત આગમ ભગવાન ન હોતતો દુઃષમ કાળથી મતિહીન બનતા ભવ્ય જનોના સંસારમાં શાહાલ થાત ? કલિકાળમાં જેનાગમને એક ખરો આધાર છે. જેનગમ અનુસાર દેવગુરૂ વન્દન, દેવ પૂજા, અને પ્રતિક્રમણ વગેરે સર્વ ક્રિયાઓને ભાવશ્રાવ કરે છે. જૈનાગમ પુરસ્સર ધર્મ ક્રિયા કરનાર ભાવશ્રાવક, ખરેખર દાનાદિચતુર્વિધ ધર્મને સમ્યપણે એવી શકે છે માટે દશમો ગુણ કહ્યા બાદ દાનાદિક ધર્મ વિશિષ્ટ અગ્યારમા ગુણને કહેવો જોઈએ. માવવાના અભ્યાસમાં ગુણ ને કહે છે.
गाथा अनिगाहंतो सत्ति-आय अबाहाइ जह बहुं कुणई, आयरइ तहा सुमई-दाणाइ चउविहं धम्मं ॥ ११ ॥
For Private And Personal Use Only