Book Title: Shibir Pravachanoni Zanki
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 220
________________ ૨૧૪ કેન્દ્રમાં રહે, તે વ્યક્તિવાદી વિચારધારા છે. વેદાંતમાંથી મૂળે તે એ વિચારધારા આવી, પાછળથી વૈષ્ણવ સંપ્રદાયે એમાં સંશોધન કરી વ્યવહારમાં ભક્તિયોગને લઈ સંસ્થા સાથે મૂકવાને પ્રયાસ કર્યો, પરંતુ તેમાં ગુરવાદને જ વિશેષ મહત્વ અપાયું. ૨. શ્રીમતી એની બેસેંટ નામની બાઈએ હિંદમાં થિયેસેફિકલ સોસાઈટીની સ્થાપના કરી, એમાં ખ્રિસ્તી ધર્મને પ્રેમ, વેદાંતને અદ્વૈત અને બૌદ્ધધર્મની કરુણાને વણી લીધા. એ સંસ્થામાં માત્ર આધ્યાત્મિક ક્ષેત્રને જ વિચાર કરવામાં આવ્યું. કૃષ્ણમૂર્તિને ખૂબ ભણાવીને તૈયાર કર્યા; લેકે એમને અવતારી પુરુષ માનવા લાગ્યા, એ એમને ન ગમ્યું. એટલે સંસ્થા છોડી, વ્યક્તિગત સ્વતંત્ર વિચારક તરીકે ફરવા લાગ્યા, એમની વિચારધારા આ પ્રમાણે છે:–“ગુરુ, ઈશ્વર વગેરે અવલંબને છેડે, સંબંધને ઊંડાણથી સમજે, સત્યને માર્ગ સાંકડ છે, તે માગે એક જ વ્યક્તિ જઈ શકે, પ્રશ્નોને વહ્યા કે વખાણ્યા વગર તટસ્થ રહીને સમજો.” આ વિચારધારા પ્રમાણે સમાજ કે સંસ્થા સાથે કઈ અનુબંધ વ્યવહારમાં કોઈને રહી જ ન શકે. ૩, અરવિંદગીની પૂગની સાધના હતી, તેમણે પણ મુખ્ય દષ્ટિ વેદાંતની લીધી, માતૃ-ઉપાસના ઉપર ભાર મૂક્યો, તેમની વિચારધારા આ પ્રમાણે છે–સ્થિરતા, સમતા અને શાંતિ આ ક્રમ છે, એમાં અન્નમયથી આનંદમય કષ સુધીની સાધના થઈ જાય છે, એમણે વ્યક્તિના સમૂહને જરૂર લીધો, પણ વ્યવહારમાં ઘડતર કરવાની વાત વિસરાઈ ગઈ, તેથી એ સાધના આખરે વ્યક્તિવાદમાં પરિણમી; આખા સમાજ ઉપર એની અસર ન થઈ. ૪. ભૌતિક સમાજવાદ અને વ્યવહારમાં વ્યક્તિવાદ એ બન્નેને સમન્વય કરી, આધ્યાત્મિક પાયા ઉપર રચાયેલી, સંસ્થા દ્વારા ઘડતરમાં માનતી વિચારધારાને જ અનુસરવું જોઈએ. તા. ૪-૧૧-૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248