Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 142
________________ (૧૨૫) હે પુત્ર! તમે જિનેશ્વરના કહેલા ધર્મનું રહસ્ય સાંભળેપ્રથમ તે તમે જ્યાં સાધર્મીઓ વસતા હોય અને જ્યાં જિનભુવન ઉપાશ્રયાદિક હોય ત્યાં રહેજે કે જેથી તમને સત્સંગતિનું ફળ મળે. ” ૨૫૧. - સાધમિકે બે પ્રકારના હોય છે. તેમાં જેઓ જાતિ કુળ કર્મદિવડે સમાન આચારવાળા હોય તે દ્રવ્યસાધમ કહીએ અને જૈનધર્મને જાણનારા, ભવભીરૂ અને નિરંતર ધર્મકાર્યમાં ઉઘત તે ભાવસાધમ કહીએ. ૨પર. એવા શ્રાવકેની સાથે રહેવાથી શ્રદ્ધાની મંદતા ન થાય. તેથી ત્યાં જ રહેવું કે જ્યાં ગુણવાન એવા શ્રાવકે વસતા–રહેતા હોય. ર૫૩. એવા સજજનેને સંસર્ગ પણ દુર્જનાદિકના કુસંસર્ગને વર્જવાથીજ ફળદાયક થાય છે. તેથી કહે છે કે – જુગારી, વેશ્યા, નાટક કરાવનારા, નાટક કરનારા, ભાટ, ચારણ વિગેરે તેમજ કુકર્મકારી–જાળ નાખનાર, પાસ નાખનાર, શીકાર કરનાર વિગેરેના સહવાસમાં રહેવું નહીં. અર્થાત્ તેની સાથે ઘર કે હાટ રાખવું નહીં અને તેની મૈત્રી કરવી નહીં. ૨૫૪. વળી કુતીથિક–કુત્સિત એવા–સંસારસમુદ્રમાંથી તારી ન શકે એવા, એકાંતમાર્ગના કહેનારા તેમનું જે તીર્થ–પ્રવચન તે કુતીર્થ કહીએ. તેને માનનારા તે કુતીથિક કહીએ. તેવા કિયાવાદી વિગેરે કુલિંગીના ૩૬૩ ભેદે શાસ્ત્રમાં બતાવેલા છે. તેમને સંસર્ગ–એકઠા વસવું, તેમની સાથે બોલવું, તેમના દેવમંદિરાદિમાં કુતૂહલાદિવડે પણ જવું; તેથી મિથ્યાત્વ સ્થિરતાદિ દેની પ્રાપ્તિ શાય છે તેથી જ તે વર્જવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196