Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 15
________________ રહે છે તો બીજી બાજુ સત્તામાં રહેલા કર્મોને ય એ તપાવતો રહે છે. પ્રશ્ન એ થાય કે તપનું સ્વરૂપ શું ? તપ શરીરને બંધાયેલો છે કે મનને ? બાહ્ય તપ જ કરતા રહીએ તો ય કર્મનિર્જરા થાય કે આભ્યન્તર તપ પણ કરવો જ પડે ? બાહ્યતપ કરીએ જ નહીં અને આભ્યન્તર તપ જ કરતા રહીએ તો ય કર્મનિર્જરા થાય ? “તપ” અંગે મનમાં ઉઠતા આવા જાત જાતના પ્રશ્નોનું સરળ છતાં સચોટ, માર્મિક છતાં તાત્ત્વિક સમાધાનો આપતું સુંદર નજરાણું એટલે જ સેતુઃ સંસારથી મુક્તિનો...' નામનું આ પુસ્તક. મુનિરાજ શ્રી કૃપાબોધિવિજયજી છે આ નજરાણાં સમ પુસ્તકના લેખક. શાસ્ત્રીય પંક્તિઓ, શાસ્ત્રીય ઉદાહરણો, માર્મિક ટુચકાઓના સહારે આ પુસ્તકને એમણે જે હદે અસરકારક બનાવ્યું છે એ બદલ એમને સાચે જ અંતરના ખૂબ ખૂબ અભિનંદન છે. અત્યારના વર્તમાન યુગમાં કોઇ પણ એક ચીજ ખરીદવા લોકોને જેમ અલગ અલગ જગાએ ન જવું પડે એ માટે માર્કેટ’ ખુલી ચૂકી છે તેમ “તપ”ના સ્વરૂપ અંગે, ઉદેશ્ય અંગે કે પરિણામ અંગે સમાધાનો મેળવવા જિજ્ઞાસુને અલગ અલગ શાસ્ત્રો જોવા ન પડે એ માટે મુનિ શ્રી કૃપાબોધિવિજયજીએ સેતુઃ સંસારથી મુક્તિનો...” પુસ્તક સર્જીને એને માર્કેટ’નું ગૌરવ આપ્યું છે. જે બદલ એમને લાખ લાખ ધન્યવાદ છે. ઇચ્છું છું કે જિજ્ઞાસુઓ આ માર્કેટમાં પ્રવેશ કરીને સ્વજીવનને તપ ધર્મથી સુશોભિત કરતા જ રહે. દ..રત્નસુંદરસૂરિ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138