Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 60
________________ ૨) મહિમા શક્તિ – પોતાનું રૂપ મેરૂપર્વતથી પણ મોટું બનાવવાની શક્તિ. ૩) લઘિમા શક્તિ - પવનની લઘુતાને પણ વટાવી જાય તેવું સાવ હલકું શરીર બનાવવાની શક્તિ. ૪) ગરિમા શક્તિ ઇન્દ્ર વગેરે પણ સહન ન કરી શકે તેવું ભારે શ૨ી૨ ક૨વાની શક્તિ. - ૫) પ્રાપ્તિ શક્તિ - જમીન ૫૨ રહીને આંગળીના અગ્રભાગથી મેરૂપર્વતની આજુબાજુ ફરતા સૂર્ય-ચંદ્ર-ગ્રહાદિને અડકી શકે. ૬) પ્રાકામ્ય શક્તિ - જમીન પર જેવી રીતે ચાલી શકાય તેવી જ રીતે પાણી ઉપર ચાલે અને પાણીમાં જેવી રીતે તરી શકાય તેવી જ રીતે જમીનમાં ડુબકી મારી પાછા ઉપર આવવું વગેરે કરી શકે. ૭) ઇશિત્વ શક્તિ - ઇન્દ્ર અથવા ચક્રવર્તી વગેરે જેવી પોતાની સમૃદ્ધિ વિકુર્વવાની શક્તિ. ૮) વશિત્વ શક્તિ - ક્રૂર જીવો પણ જેના દર્શનમાત્રથી શાંત થઇ જાય તેવી શક્તિ. તપના પ્રભાવથી પ્રગટ થતી વિશિષ્ટ લબ્ધિઓ તેવી ૧) આમર્ષોષધિ - અમૃતસ્નાનથી માણસ જેમ નીરોગી બને છે, જ રીતે આ લબ્ધિસંપન્ન વ્યક્તિના શરીરના સ્પર્શમાત્રથી રોગો નાશ પામે છે. ૨) વિપ્રૌષધિ - શરીરના મળ-મૂત્ર પણ ઔષધીનું કામ કરે. ૩) ખેલોષધિ - નાક વગેરે માંથી નીકળતા શ્લેષ્મના સ્પર્શમાત્રથી કોઢયુક્ત શ૨ી૨ સુવર્ણરૂપમાં રૂપાંતરિત બને છે. ૪) જલ્લોષધિ - શરીરમાંથી નીકળતો પરસેવો કે મેલને લઇને નીકળતા પાણીમાં સર્વરોગોને દૂર કરવાની તાકાત હોય. ૫) સર્વોષધિ - નખ-વાળ-દાંત વગેરે પણ સર્વરોગનો નાશ કરવા સમર્થ બને; આ ઉપરાંત આવી લબ્ધિવાળાનાં શ૨ી૨ને-પરસેવાને સ્પર્શ કરીને આવતો વાયુ પણ ઔષધિનું કામ કરે... આવા વ્યક્તિના મુખમાંથી નીકળતા શબ્દો પણ મંત્રાક્ષરોની જેમ સર્વવ્યાધિના વિનાશક બને છે, આ ઉપરાંત વિષયુક્ત-ભોજન આવા લબ્ધિવાળાના પાત્રામાં કે મુખમાં આવી પણ જાય તો તે અમૃતમાં રૂપાંતિરત થઇ જાય છે. ૪૧ ૩૬૩૦૨

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138