SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) મહિમા શક્તિ – પોતાનું રૂપ મેરૂપર્વતથી પણ મોટું બનાવવાની શક્તિ. ૩) લઘિમા શક્તિ - પવનની લઘુતાને પણ વટાવી જાય તેવું સાવ હલકું શરીર બનાવવાની શક્તિ. ૪) ગરિમા શક્તિ ઇન્દ્ર વગેરે પણ સહન ન કરી શકે તેવું ભારે શ૨ી૨ ક૨વાની શક્તિ. - ૫) પ્રાપ્તિ શક્તિ - જમીન ૫૨ રહીને આંગળીના અગ્રભાગથી મેરૂપર્વતની આજુબાજુ ફરતા સૂર્ય-ચંદ્ર-ગ્રહાદિને અડકી શકે. ૬) પ્રાકામ્ય શક્તિ - જમીન પર જેવી રીતે ચાલી શકાય તેવી જ રીતે પાણી ઉપર ચાલે અને પાણીમાં જેવી રીતે તરી શકાય તેવી જ રીતે જમીનમાં ડુબકી મારી પાછા ઉપર આવવું વગેરે કરી શકે. ૭) ઇશિત્વ શક્તિ - ઇન્દ્ર અથવા ચક્રવર્તી વગેરે જેવી પોતાની સમૃદ્ધિ વિકુર્વવાની શક્તિ. ૮) વશિત્વ શક્તિ - ક્રૂર જીવો પણ જેના દર્શનમાત્રથી શાંત થઇ જાય તેવી શક્તિ. તપના પ્રભાવથી પ્રગટ થતી વિશિષ્ટ લબ્ધિઓ તેવી ૧) આમર્ષોષધિ - અમૃતસ્નાનથી માણસ જેમ નીરોગી બને છે, જ રીતે આ લબ્ધિસંપન્ન વ્યક્તિના શરીરના સ્પર્શમાત્રથી રોગો નાશ પામે છે. ૨) વિપ્રૌષધિ - શરીરના મળ-મૂત્ર પણ ઔષધીનું કામ કરે. ૩) ખેલોષધિ - નાક વગેરે માંથી નીકળતા શ્લેષ્મના સ્પર્શમાત્રથી કોઢયુક્ત શ૨ી૨ સુવર્ણરૂપમાં રૂપાંતરિત બને છે. ૪) જલ્લોષધિ - શરીરમાંથી નીકળતો પરસેવો કે મેલને લઇને નીકળતા પાણીમાં સર્વરોગોને દૂર કરવાની તાકાત હોય. ૫) સર્વોષધિ - નખ-વાળ-દાંત વગેરે પણ સર્વરોગનો નાશ કરવા સમર્થ બને; આ ઉપરાંત આવી લબ્ધિવાળાનાં શ૨ી૨ને-પરસેવાને સ્પર્શ કરીને આવતો વાયુ પણ ઔષધિનું કામ કરે... આવા વ્યક્તિના મુખમાંથી નીકળતા શબ્દો પણ મંત્રાક્ષરોની જેમ સર્વવ્યાધિના વિનાશક બને છે, આ ઉપરાંત વિષયુક્ત-ભોજન આવા લબ્ધિવાળાના પાત્રામાં કે મુખમાં આવી પણ જાય તો તે અમૃતમાં રૂપાંતિરત થઇ જાય છે. ૪૧ ૩૬૩૦૨
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy