________________
* ૬) સંભિન્નશ્રોતો લબ્ધિ - એકજ ઇન્દ્રિયથી બાકીની બધી ઇન્દ્રિયોનું કાર્ય થાય, મતલબ એકજ ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયોના વિષયો અનુભવી શકાય...
૭) ચારણ લબ્ધિ - આકાશમાં ગમન કરવાની (ઉડવાની) શક્તિ.
૮) આશીવિષ લબ્ધિ - અનુગ્રહ-શ્રાપ આપી બીજાના સુખ-દુઃખની ઉદીરણા કે ઉદય કરવાની શક્તિ.
૯) દ્રષ્ટિવિષ લબ્ધિ - ચંડકૌશિકની જેમ આંખથી ઝેર-આગ વરસાવવાની શક્તિ.
૧૦) તેજલેશ્યા લબ્ધિ - સામા તત્ત્વને બાળવાની તાકાત.
૧૧) શીતલેશ્યા લબ્ધિ - સામા તત્ત્વને ઠારવાની | શીતલ બનાવવાની તાકાત.
૧૨) વૈક્રિય લબ્ધિ - નાના મોટા એકી સાથે અલગ અલગ રૂપબનાવવાની તાકાત તથા પોતાના ભિન્ન-ભિન્ન રૂપોથી લોકને પણ પૂરી શકવાની તાકાત.
૧૩) આહારક લબ્ધિ - પોતાની શંકાનું નિરાકરણ કરવા વિહરમાન તીર્થંકર પાસે વિશિષ્ટ શરીર બનાવી જવાની તાકાત.
૧૪) કોષ્ઠ બુદ્ધિ - જેવી રીતે કોઠારમાં રહેલું ધાન્ય વર્ષો પછી એવું ને એવું પરત મળે છે, તેમ આ લબ્ધિના સ્વામીને પરાવર્તન વગર પણ એક વખત ભણેલું જ્ઞાન સતત ઉપસ્થિત રહે છે.
૧૫) બીજબુદ્ધિ – એક બીજ અન્ય સેંકડો દાણાને ઉત્પન્ન કરે, તેમ આ લબ્ધિવાળાને એક અર્થ જાણવા મળે તો તેના ઉપરથી બીજા સેંકડો અર્થો પોતે નીણિત કરી શકે.
૧૬) પદાનુસારી લબ્ધિ - ૧ પદને ભણો તો બાકીના પદો સહજ રીતે આવડી જાય.
૧૭) મનોબળી – પૂર્વમાંથી ઉદ્ધત કરેલા પૂર્વના Subchapter Parts “વસ્તુ ને માત્રને માત્ર અંતર્મુહૂર્તમાં ધારણ કરી લેવાની શક્તિ.
૧૮) વચનબળી - અંતર્મુહૂર્તમાં જ સર્વશ્રુતનું પરાવર્તન કરી શકવાની શક્તિ.
૧૯) કાર્યબળી - લાંબા સમય સુધી કાયા સ્થિર રાખી પ્રતિમા વહન કરે તો પણ શરીરને થાક-પરિશ્રમાદિ લાગતા નથી.