________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિકમણ-આવશ્યક |
[ ૩૧ अज्झवसाणणिमित्तं जीवा बझंति कम्मणा जदि हि । मुचंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ॥२६७॥ સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં ને મોક્ષમાર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા? ર૬૭.
અર્થ :–હે ભાઈ! જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષમાર્ગમાં સ્થિત મુકાય છે, તો તું શું કરે છે? (તારો તો બાંધવા–છોડવાનો અભિપ્રાય વિફળ ગયો.)
सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए । देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं ॥२६८॥ धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च ।
सब्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं ॥२६६॥ તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય–પાપ વિવિધ જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ર૬૮. વળી એમ ધર્મ-અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ર૬૯.
અર્થ :–જીવ અધ્યવસાનથી તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો, તથા અનેક પ્રકારનાં પુણ્ય અને પાપ–એ બધારૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ-અધર્મ, જીવ-અજીવ, અને લોક-અલોક–એ બધારૂપ પોતાને કરે છે.
एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि । ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति ॥ २७०॥ એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને, તે મુનિવરો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250