Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 44
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૩૮ ] [ સર્વસામાન્ય ભાવરૂપ બે પ્રકારના પ્રાણોનો ઘાત કરવો તે પ્રસિદ્ધ રીતે નક્કી થયેલી હિંસા છે. अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति । तेषामेवोत्पत्तिर्हिसेति जिनागमस्य संक्षेपः ॥४४॥ અર્થ :–ખરેખર રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે અને તે રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે એવું જૈનશાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. (૨) અસત્યનું સ્વરૂપ यदिदं प्रमादयोगादसदभिधानं विधीयते किमपि । तदनृतमपि विज्ञेयं तद्भेदाः सन्ति चत्वारः ॥६१॥ અર્થ –પ્રમાદ–કષાયમાં જોડાવાથી જે કંઈ પણ અસત્ કથન કરવામાં આવે તે ખરી રીતે જૂઠું જાણવું જોઇએ. (3) ચોરીનું સ્વરૂપ अवितीर्णस्य ग्रहणं परिग्रहस्य प्रमत्तयोगाद्यत् । । तत्प्रत्येयं स्तेयं सैव च हिंसा वधस्य हेतुत्वात् ॥ १०२॥ અર્થ –જે પ્રમાદ-કષાયમાં જોડાવાથી દીધા વિના સોનું, વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહવો તેને ચોરી જાણવી, અને તે વધનું કારણ હોવાથી હિંસા છે. (૪) અબ્રહ્મચર્યનું સ્વરૂપ यद्धेदरागयोगान्मैथुनमभिधीयते तदब्रह्म । अवतरति तत्र हिंसा वधस्य सर्वत्र सभावात् ॥१०७॥ અર્થ :–પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસકવેદરૂપ રાગમાં જોડાવાથી જેને મૈથુન કહેવામાં આવે છે તે અબ્રહ્મચર્ય છે, અને તેમાં સર્વત્ર પ્રાણીનો વધ હોવાથી હિંસા થાય છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91