Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 77
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | L[ ૭૧ નિમિત્ત – ઉપાદાન તુમ જોર હો, તો ક્યાં લેત અહાર; પરનિમિત્તકે યોગસો, જીવત સબ સંસાર. ૨૪. અર્થ:–નિમિત્ત કહે છે :–હે ઉપાદાન! તારું જો જોર છે તો તું આહાર શા માટે લે છે? સંસારના બધા જીવો પર નિમિત્તના યોગથી જીવે છે. ૨૪. ઉપાદાન – જો અહારજોગસો, જીવત હૈ જગ માંહિં; તો વાસી સંસારકે, મરતે કોઊ નહિં. ૨૫. અર્થ :–ઉપાદાન કહે છેઃ—જો આહારના જોગથી જગતના જીવો જીવતા હોય તો સંસારવાસી કોઈ જીવ મરત જ નહિ. ૨૫. નિમિત્ત – સૂર સોમ મણિ અગ્નિકે, નિમિત લખેં યે નૈન, અંધકારમેં કિત ગયો, ઉપાદાન દગ દેન. ૨૬. અર્થ :–નિમિત્ત કહે છેઃ સૂર્ય, ચંદ્ર, મણિ કે અગ્નિનું નિમિત્ત હોય તો આંખ દેખી શકે છે; ઉપાદાન જો દેખવાનું (કામ) આપતું હોય તો અંધકારમાં તે ક્યાં ગયું? (અંધકારમાં કેમ આંખેથી દેખાતું નથી?) ૨૬. ઉપાદાન – સૂર સોમ મણિ અગ્નિ જો, કરે અનેક પ્રકાશ; નૈનશક્તિ બિન ના લખે, અંધકાર સમ ભાસ. ૨૭. અર્થ :–ઉપાદાન કહે છે :–જોકે સૂર્ય, ચંદ્ર, મણિ અને અગ્નિ અનેક પ્રકારનો પ્રકાશ કરે છે તોપણ દેખવાની શક્તિ વિના દેખાય નહીં; બધું અંધકાર જેવું ભાસે છે. ૨૭. નિમિત્ત – કહૈ નિમિત્ત બે જીવ કો મો બિન જગકે માંહિ? સર્બ હમારે વશ પરે, હમ બિન મુક્તિ ન જાહિં. ૨૮. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91