Book Title: Sachitra Jain Ramayan
Author(s): Chidanandsuri, Dharmghoshvijay
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 80
________________ ७४ નથી. પણ તારે પિતા કામાંધ બની અકાર્ય કરવા તૈયાર થયો છે અને કુલને ક્ષય કરવા ઈચ્છે છે.” આ સાંભળી કોધ કરી રાવણ વિભીષણને ઘાત કરવા ખડગ લઈ ઉભે થે. વિભીષણ પણ સ્તંભ ઉપાડી સામે થયે. ત્યારે કુંભકર્ણ અને ઈન્દ્રજિતે વચ્ચે પડી યુદ્ધ કરતાં અટકાવી દીધા. રાવણે, વિભીષણને કહ્યું કે “તું મારી નગરીમાંથી ચાલ્યા જા.” આ સાંભળી વિભીષણ લંકામાંથી નીકળી રામ પાસે જવા ચાલ્યો. તેની સાથે ત્રીશ અક્ષૌહિણી સેના પણ રાવણને છેડી વિભીષણ પાસે જવા લાગી. વિભીષણને સૈન્ય સાથે આવતે જાણી સુગ્રીવ વગેરે ક્ષોભ પામ્યા. એટલે રામે સુગ્રીવ સામે જોઈ કહ્યું કે વિભીષણ મારી પાસે આવવાનો સંદેશ પાઠવે છે. સુગ્રીવે કહ્યું કે “રાક્ષસો જન્મથીજ માયાવી છે. છતાં ભલે આવવા દ્યો અમે તેને ભાવ વિચારી યથાપ્ય કરીશું. તે વખતે વિશાળ નામે વિદ્યાધરે કહ્યું કે “રાક્ષસોમાં ફકત એક વિભીષણજ ન્યાય અને ધર્મ છે. સીતાને છેડી દેવા રાવણને સમજાવતા રાવણે તેને કાઢી મૂકે છે. તેથી તે તમારે શરણે આવે છે. તે સાંભળી સામે આવતા વિષિણને રામ ભેટી પડ્યા. વિભીષણે કહ્યું કે “મારા અન્યાયી બંધુને છેડી આપની સેવામાં આવ્યો છું તે સુગ્રીવની જેમ આપ મને આજ્ઞા કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130