SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ નથી. પણ તારે પિતા કામાંધ બની અકાર્ય કરવા તૈયાર થયો છે અને કુલને ક્ષય કરવા ઈચ્છે છે.” આ સાંભળી કોધ કરી રાવણ વિભીષણને ઘાત કરવા ખડગ લઈ ઉભે થે. વિભીષણ પણ સ્તંભ ઉપાડી સામે થયે. ત્યારે કુંભકર્ણ અને ઈન્દ્રજિતે વચ્ચે પડી યુદ્ધ કરતાં અટકાવી દીધા. રાવણે, વિભીષણને કહ્યું કે “તું મારી નગરીમાંથી ચાલ્યા જા.” આ સાંભળી વિભીષણ લંકામાંથી નીકળી રામ પાસે જવા ચાલ્યો. તેની સાથે ત્રીશ અક્ષૌહિણી સેના પણ રાવણને છેડી વિભીષણ પાસે જવા લાગી. વિભીષણને સૈન્ય સાથે આવતે જાણી સુગ્રીવ વગેરે ક્ષોભ પામ્યા. એટલે રામે સુગ્રીવ સામે જોઈ કહ્યું કે વિભીષણ મારી પાસે આવવાનો સંદેશ પાઠવે છે. સુગ્રીવે કહ્યું કે “રાક્ષસો જન્મથીજ માયાવી છે. છતાં ભલે આવવા દ્યો અમે તેને ભાવ વિચારી યથાપ્ય કરીશું. તે વખતે વિશાળ નામે વિદ્યાધરે કહ્યું કે “રાક્ષસોમાં ફકત એક વિભીષણજ ન્યાય અને ધર્મ છે. સીતાને છેડી દેવા રાવણને સમજાવતા રાવણે તેને કાઢી મૂકે છે. તેથી તે તમારે શરણે આવે છે. તે સાંભળી સામે આવતા વિષિણને રામ ભેટી પડ્યા. વિભીષણે કહ્યું કે “મારા અન્યાયી બંધુને છેડી આપની સેવામાં આવ્યો છું તે સુગ્રીવની જેમ આપ મને આજ્ઞા કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005130
Book TitleSachitra Jain Ramayan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri, Dharmghoshvijay
PublisherKirti Prakashan
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy