Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 12
________________ લિE REFERE) સત્સંગ-સંજીવની ) VESM))) (દ્વિતીયાવૃત્તિની પ્રસ્તાવના)ના દાવા પર રિક ના || ૐ તત્ સત્ // “જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી, તે સત્યુરૂષનાં વચન અને બોધ માટે કંઈપણ નહીં કહી શકતા તેનાંજ વચનમાં પ્રશસ્તભાવે પુનઃ પુનઃ પ્રશક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે.” - વ. પર “અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક્ દર્શનને નમસ્કાર” - વ. ૮૩૯ “સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે.” - વ. ૯૧૫ અનંત અનંત ઉપકારી પરમ કરૂણાસાગર પરમ કૃપાળુ ભગવંતના અણમોલ વચનો કે જેને માટે પ.પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈએ જણાવેલ કે મારું ચાલે તો તેને હીરા રત્નથી મઢાવું તેવી ભવ્યભાવના જેમની હતી, તેવી અદ્ભુત વાણી-વચનોની ધારાને, જેમ શ્રી તીર્થંકર ભગવંતની વાણીને શ્રી ગણધર ભગવંતોએ ઝીલીને તેને શ્રી આગમમાં ગૂંથી, તેવી જ રીતે આ પરમપુરુષ પ્રભુ રાજચંદ્રજીની મેઘધારા જેવી વાણીને અખંડ રસથી, પૂર્ણ પ્રેમથી શ્રી રાળજ, શ્રી વડવા, શ્રી કાવીઠા, શ્રી નડીયાદ વિ. અનેક નિવૃત્તિ ક્ષેત્રોમાં અનંત અનંત પ્રેમ એક એક વચનને ઝીલીને, સંગ્રહ કરીને, સાચવીને તેને અક્ષરદેહ આપવાનું ભગીરથ મહાન કાર્ય ભક્તરત્ન એવા પૂ.શ્રી. અંબાલાલભાઈએ કરેલ છે. આ રીતે વર્તમાન અને ભાવી મુમુક્ષુ આત્માઓ કે જે ભવભ્રમણમાંથી મુક્ત થવા ઈચ્છે છે તેમના સુધી પહોંચાડી, આપણા સર્વ ઉપર જેનો પ્રત્યુપકાર કોઈ રીતે ન વાળી શકાય તેવો પરમ ઉપકાર કર્યો છે. પરમકૃપાળુ ભગવંતે શ્રી મુખે જેમને માટે મહોર મારી હતી, અને જેમની સ્મરણ શક્તિ તથા વૈરાગ્યની પ્રશંસા કરી હતી તેવા પૂ.શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુ ભગવંતના મુમુક્ષુઓ પર આવેલા પત્રોને મંગાવી, તેને સુંદર મરોડદાર મોતીના દાણા જેવા અક્ષરોમાં ઉતારી લઈ, તેને વ્યવસ્થિત જાળવીને, તેનું સુંદર સંકલન કરીને અદ્ભુત ભગીરથ કાર્ય કર્યું છે જે કારણે આજે આપણે શ્રી વચનામૃતજીરૂપે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની મહાન ભેટ મેળવવા પરમ પરમ ભાગ્યશાળી થયા છીએ. જે વચનામૃતજી આજે પરમકૃપાળુ ભગવંતના અક્ષરદેહરૂપે ભારતભરમાં ખૂણે ખૂણે તથા વિદેશમાં અમેરીકા, ફ્રાન્સ, આફ્રિકા, રશીયા, ઈંગ્લેન્ડ વિ. દેશોમાં પણ અનેક અનેક આત્માઓને માટે અણમોલ ભાથું બની રહ્યા છે. તેમજ અનેક મુમુક્ષુ આત્માઓ તેનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરતાં તેમના હૃદયો ભીંજાઈ જઈ રાજરસથી તરબોળ બની રહ્યા છે, અને શ્રી વચનામૃતજીના ઉપકારથી અનેકને પોતાના ભવ ભ્રમણનો અંત લાવવા માટે અદ્ભુત સહાયક થઈ રહ્યા છે. તો તે માટે શ્રી ભક્તરત્ન પૂ. અંબાલાલભાઈના ઉપકારની ફરી ફરી સ્મૃતિ થાય છે. પૂ. અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવનો સીધે સીધો બોધ અંતરમાં ઝીલતાં ઝીલતાં પ.કૃ.દેવની અદ્ભુત અંતરદશાના દર્શન કર્યા. તેમજ પ્રભુએ માર્ગનો મર્મ પૂર્વના સંસ્કારી અને સત્પાત્ર એવા પૂ. અંબાલાલભાઈને જણાવી દીધો. ૫.ક.દેવની અદ્દભુત અંતરદશાના દર્શન થતાં આપણને કોણ પુરુષ મળ્યા છે તેની સમ્યકુપ્રતીતિ આપી અને તેમના પ્રત્યે અચળ પ્રેમ અને સમર્પણતા ઉત્પન્ન થયાં. પ.કૃ.દેવનો બોધ ઝીલતાં ઝીલતાં તેમણે એ વાત ઝીલી કે - (ઉ. છાયા પાના ૬૯૧માં) “વેદાંત વિષે આ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 408