Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ ઉભરાઈ આવશે. શરીરના કયા ભાગમાં ચિત્તને પ્રવાહિત કરવાથી સારાં પરિણામ આવી શકે છે અને કયા ભાગમાં પ્રવાહિત કરવાથી ખરાબ પરિણામે આવી શકે છે–જે આ તદ્દન સ્પષ્ટ થઈ જાય તે આપણી બધી જ વૃત્તિઓ પર આપણે કાબૂ મેળવી શકીએ અને આપણે આપણી ઈચ્છાનુસાર શુભ લેશ્યાઓમાં પ્રવેશ કરી અશુભ લેશ્યાઓથી દૂર રહી શકીએ. એક પ્રાચીન ગ્રંથ અનુસાર જ્યારે આત્મપરિણામો નાભિકમળની એક પાંખડી સુધી જાય છે ત્યારે ક્રોધની વૃત્તિ જાગે છે, જ્યારે બીજી પાંખડી પર જાય છે ત્યારે અભિમાનની વૃત્તિ જાગે છે, ત્રીજી પર જાય ત્યારે માયાની વૃત્તિ જાગે છે, જેથી પર વાસનાની વૃત્તિ જાગે છે. તેનાથી ઊલટું, જ્યારે આત્મપરિણામે હૃદયકમળની પાંખડીઓ પર જાય ત્યારે સમતાની વૃત્તિ જાગે છે, જ્ઞાનનો વિકાસ થાય છે. જ્યારે તે જ્ઞાન-કેન્દ્ર પર પહોંચે છે, ત્યારે કેવળ જ્ઞાનની ક્ષમતા જાગૃત થઈ શકે છે. આનાથી એક મહાન સત્યનું ઉદ્ઘાટન થાય છે કે શરીરમાં અનેક કેન્દ્રો છે. તે કેન્દ્રો પર ચિત્તને એકાગ્ર કરીને, તેમની પ્રેક્ષા કરીને, એવાં દ્વારો અને બારીએાનું ઉદ્ઘાટન કરી શકાય છે જેમના દ્વારા ચેતનાનાં કિરણો પ્રગટ થઈ શકે. 35 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82