Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ જ કામવાસના, ઉત્તેજના, આવેગ વગેરે જાગૃત થાય છે. પિનિયલ અને પિટ્યુટરી દ્વારા જ્યારે આ ગ્રંથિઓને નિયંત્રિત કે પ્રભાવિત કરવામાં આવે છે ત્યારે કામવૃત્તિઓ અનુશાસિત થઈ જાય છે, આવેગો ઓછા થઈ હોય છે અને અપૂર્વ આનંદની વૃત્તિ જાગૃત થઈ જાય છે. જે વ્યક્તિ જ્યોતિકેદ્ર અને દર્શન-કેન્દ્રને જાગૃત કરવાનું નથી જાણતો અને બ્રહ્મચારી બનવાની વાત કરે છે કે પ્રયત્ન કરે છે, તે ખરેખર ગાંડપણની અવસ્થા સુધી પહોંચી જાય છે. મને વિજ્ઞાનને પણ આ જ સિદ્ધાંત છે. પિટ્યુટરી કે પિનિયલને સક્રિય કર્યા સિવાય કેઈ બ્રહ્મચારી થવાને પ્રયત્ન કરે છે તો તે નક્કી વિષાદથી ઘેરાઈ જાય છે, અને અર્ધ-માદની સ્થિતિ પર પહોંચી જાય છે. - તિનકેન્દ્ર અને દર્શન કેન્દ્રની પ્રેક્ષા કરનાર સાધક શિવ બની શકે છે. તે ત્રીજા નેત્રને સક્રિય બનાવીને કામનું દહન કરી શકે છે. પિનિયલને સક્રિય બનાવીને, કોનાઝને નિયંત્રિત કરી શકે છે. પિયૂટીને સક્રિય બનાવીને એડ્રીનલને નિયંત્રિત કરી શકે છે. તે સ્ત્રાવોનું પરિવર્તન કરીને સકામમાંથી અકામ બની શકે છે. તેને કામ ત્રીજા નેત્રથી ભસ્મ થઈ જાય છે. અધ્યાત્મ-જ્યોતિષ અનુસાર દશન કેન્દ્ર અને જ્યોતિકેન્દ્ર બંને પર બહસ્પતિ (યૂપીટર)ને પ્રભાવ છે. વિશુદ્ધિ : કંઠનું સ્થાન વિશુદ્ધિ કેન્દ્રનું સ્થાન છે. તે થાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82