________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨૪૭
जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।। २४७।।
यो मन्यते हिनस्मि च हिंस्ये च परैः सत्त्वैः।
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २४७।। હવે મિથ્યાદષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કહે છે:
જે માનતો-હું મારું ને પર જીવ મારે મુજને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭. ગાથાર્થ:- [:] જે [મન્યતે] એમ માને છે કે [હિનશ્મિ ] “હું પર જીવોને મારું છું (હણું છું ) [jરે. સર્વે: હિંચે ૨] અને પર જીવો મને મારે છે', [ :] તે [ મૂઢ:] મૂઢ (મોહી) છે, [અજ્ઞાની] અજ્ઞાની છે, [ 1 ] અને [ બત: વિપરીત:] આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો) તે [ જ્ઞાની] જ્ઞાની છે.
ટીકાઃ- “પર જીવો ને હું હણું છું અને પર જીવો મને હણે છે'—એવો અધ્યવસાય ધ્રુવપણે (નિશ્ચિતપણે, નિયમથી) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ- “પર જીવોને હું મારું છું અને પર મને મારે છે” એવો આશય અજ્ઞાન છે તેથી જેને એવો આશય છે તે અજ્ઞાની છે-મિથ્યાદષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની છે-સમ્યગ્દષ્ટિ છે.
નિશ્ચયનય કર્તાનું સ્વરૂપ એ છે કે પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે તે ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરનું મરણ માને છે, તે અજ્ઞાની છે. નિમિત્તનૈમિત્તિકભાવથી કર્તા કહેવો તે વ્યવહારનયનું વચન છે; તેને યથાર્થ રીતે (અપેક્ષા સમજીને) માનવું તે સમ્યજ્ઞાન છે.
* * *
સમયસાર ગાથા ૨૪૭ મથાળુ હવે મિથ્યાષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કહે છે:
ગાથા ૨૪૭: ટીકા ઉપરનું પ્રવચન પર જીવોને હું હણું છું અને પર જીવો મને હણે છે”—એવો અધ્યવસાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com