Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 55
________________ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૫૫ વાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : પ્રબુદ્ધ જીવનૢ : બાર ભાવતા વિશેષર્ષક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક " પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક “ પ્રબુદ્ધ જીવન : બાર ૨. અજ્ઞાનપૂર્વક અકામ નિર્જરા-જેને દેવ, ગુરુ, ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થયું નથી, મોક્ષનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ નથી સમજાયું. તે વ્યક્તિ પરલોકમાં સ્વર્ગની કામનાથી, આ લોકમાં ચક્રવર્તી આ આદિ પદની કામનાથી તથા આ લોકમાં પૂજા-પ્રતિષ્ઠાની કામનાથી જે તપનું આચરણ કરે છે તે અજ્ઞાન તપ છે. અજ્ઞાન તપનું અધિકમાં અધિક ફળ સ્વર્ગમાં નાની જાતના અલ્પઋદ્ધિવાળા દેવ બને. અકામ નિર્જરા અન્ય ફળ દેવાવાળી છે. નરસી ભગતે તો આ અજ્ઞાન તપને સર્વથા અશુદ્ધ જ કહ્યું છે - ‘જ્યાં લગે આત્મતત્ત્વ ચિન્હો નહીં ત્યાં લગે સાધના સર્વ જૂઠી.' સકામ નિર્જરા–જે ક્રિયાની સાથે આત્મજ્ઞાન હોય છે, આત્મા અને મોક્ષનો વિવેક હોય છે તે અલ્પ નિર્જરા પણ મહાન ફળ દેવાવાળી હોય છે. સકામ નિર્જરા જ્ઞાનીને જ હોય છે, અજ્ઞાનીને નથી હોતી. જે કર્મ સત્તામાં હોય તેને વીતરાગી તપના પ્રભાવે પુરુષાર્થપૂર્વક ઉદીરણા કરીને સમભાવપૂર્વક તેનો ભોગવટો કરવો કે જેના કારણે કોઈ નવીન કર્મબંધન ન થાય. વાસ્તવમાં ન સકામ નિર્જરા જ અવિપાક નિર્જરા છે. શાસ્ત્રમાં કહ્યું છે'जं अन्नाणी कम्मं खवेइ बहुवाहिं वासकोडी हिं तं नाणी तिहि गुत्तो खव उसासमितेणं ।। અજ્ઞાની જીવ જ કર્મોને કરોડો વર્ષોમાં નથી ખપાવી શકો તે ત્રા ગુપ્તિથી ગુપ્ત જ્ઞાની છ્ય એક શ્વાસોચ્છ્વાસ માત્રમાં ખપાવી શકે છે. જ્ઞાનપૂર્વક નિર્જરાનું આ મહત્ત્વ છે. મિરાજર્ષિ અને અજ્ઞાનતપની તુલના ન કરતાં કહે છે'मासे मासे उ जो बालो कुसग्गेणं तु भुंजइ । न सो सुक्खायधम्मस्स फलं अधइ सोलसिं ।। જ્ઞાન અર્થાત્ અજ્ઞાની જીવ માસ-માસખમણ તપ કરીને કુશાગ્ર ઉપર રહે તેટલું અન્ન ખાઈને પારણું કરે અને પાછું માસખમણ તપ કરે છતાં તે સમ્યક્ જ્ઞાનયુક્ત ક્રિયા કરવાવાળા સાધકના ધર્મના સોળમા એશ બરાબર પણ કર્મનિર્જરા નથી કરી શકતો. પૌદ્ગલિક ક્રર્મના પરિણામની અપેક્ષાએ નિર્જરા બે પ્રકારે ૧. ભાવનિર્જરા ૨. દ્રúનિર્જરા ૧. ભાવનિર્જરા: જીવ સાથે જોડાયેલ પૂર્વબદ્ધ પૌદ્ગલિક કર્મોનું શીશ થઈને ખરી જવાના કારોભૂત જીવના શુદ્ધીપયોગરૂપ વીતરાગભાવને ભાવનિર્જરા કહે છે, ભાવનિર્જરા ભાગસંવરપૂર્વક હોય છે. ભાવનિર્જરામાં વીતરાગભાવની વૃદ્ધિ, પ્રચુરતા હોય છે. ૨. દ્રવ્યનિર્જરા: નવીન પૌદ્ગલિક કર્મના સંવરપૂર્વક પૂર્વબદ્ધ કર્મોનું ખરી જવું તે દ્ર નિર્જરા છે. દ્રવ્યનિર્જરા દ્રવ્યસંવરપૂર્વક હોય છે. છે. નિર્જરાભાવનાનો અભ્યાસ તપનું સ્વરૂપ સમજાવે અને ઈચ્છાના નિરોધની ભાવના કરાવે, તપ અને ઈચ્છાનિરોધ સકામ નિર્જરાના કારણારૂપ છે. तपायति अष्टप्रकारं कर्म - इति तपः । જે આઠ પ્રકારના કર્મને તપાવી ભસ્મસાત્ કરી દે છે તેને તપ કહે છે. તે બાહ્ય રૂપે શારીરિક કૃષતાનું કારણ છે, આંતરિક રૂપે કામ, ક્રોધાદિ તેમજ કર્મોને ક્રશ કરી, કર્મોનું ઉન્મૂલન કરી આત્માને શુદ્ધ બનાવે છે. 'ફાનિયોષ: ૫:। અને ઉત્તરાયન સૂત્રમાં કહ્યું છે કેપથ્વનાળન મુષ્ઠાનોદ ગયટ્ટા પ્રત્યાખ્યાન - ત્યાગથી ઇચ્છાઓનો નિરોધ થાય છે. ઇચ્છાનિરોધને તપ માનવાનું કારણ એ છે કે ઇચ્છાઓને સંબંધ ફક્ત બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ સુધી સીમિત નથી, પરંતુ ઈચ્છાઓ પ્રાપ્ત અને અપ્રાપ્ત બધા પ્રકારના પદાર્થો માટે હોય છે. અને તે આકાશ સમાન અનંત છે. ફક્ત કામના વિશેષને કારણે દેહદમન માટે ભૂખ-તરસ સહન કરવામાં આવે તો તે તપ નથી. બાહ્ય અને આત્યંતર બન્ને પ્રકારની ઈચ્છાઓના નિરોધને તપ કહેવાથી તેના બે ભેદ છે-બાહ્ય અને આત્યંતર બાહ્ય તપના છ ભેદ છે–૧. અનશન ૨. ઉર્દોદરી ૩. વૃત્તિક્ષેપ અથવા ભિક્ષાચરી ૪. રસ-પરિત્યાગ ૫. કાયકોશ ૬. પ્રતિર્સીનતા (વિવિક્ત કાયનાસન બાહ્ય તપનો પ્રભાવ શરીર પર વધુ પડે છે. તેનો સંબંધ અશન, પાન, આસન આદિ બાહ્ય દ્રવ્યોથી હોય છે. બાહ્ય તપ મુક્તિનું બહિરંગ કારણ બની શકે છે. આચાર્ય શિવકોટિએ મૂલારાધનામાં બાહ્ય તપના કેટલાક લાભ બતાવ્યા છે. તેમાં પ્રમુખ છે-૧. કાયાની સંલેખના થાય છે. ૨. આત્મામાં સંવેગ જાગે છે. ૩. ઈન્દ્રિયોનું દમન થાય છે. વિષય પ્રત્યે આસક્તિ ઘટે છે. ૫. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિરતા આવે છે. ૬. તૃષ્ણાનો ક્ષય થાય છે. ૭. આત્મશક્તિ વધે છે. ૮. કષ્ટસહષ્ણુતા વધે છે. ૯. દેહ, પદાર્થ અને સંસારિક સુખો પ્રતિ ભેદવિજ્ઞાન દ્વારા આસક્તિ ક્ષીણ થાય છે. ૧૦, ક્રોધ આદિ કાર્યોનો નિગ્રહ થાય છે. ૧૧. નિદ્રા, પ્રમાદ, આળસ પર વિજય પ્રાપ્ત થાય છે. ૧૨. સમત્વની સાધના થાય છે, ૧૩, સમાધિયોગનો સ્પર્શ થાય છે. ૧૪. શ્વાસક્રિયા ૫૨ નિયંત્રણ થાય છે. ૧૫. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું શોધન થાય છે. ૧૬, આસન સિદ્ધિ થાય છે. ૧૩, તેજસ્ શરીર ખળવાન થાય છે, તેનો પ્રભાવ વધે છે. ૧૮. અંતરંગ તપની સાધના માટે આધારભૂમિ તૈયાર થાય છે. ૧૯. ચિત્ત-શુદ્ધિ થાય છે. ૨૦. મનના સંકલ્પ-વિકલ્પ અને આવેગ-સંવેગોનું ઉપશમન થાય છે. જ્યારે તપનો યોગ આત્મા સાથે થઈ જાય છે તો તે તાયોગ થઈ જાય છે, અને અસીમિત શક્તિને પ્રસ્ફુરિત કરે છે. શેષાંક " પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવતઃ

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148