Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 62
________________ પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૬૨ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ વાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશ્લેષક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષ્ઠક # પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર દુ બોધિ દુર્લભ ભાવના ‘બોધિ દુર્લભ ભાવના એ બાર ભાવનાઓમાં શિખર સમાન ભાવના છે. જેનો ક્રમ સાધારણ રીતે ૧૧મી ભાવના તરીકેનો છે. તો ક્યાંક તેનો ક્રમ ૧૨મી ભાવના તરીકે પણ જોવા મળે છે. બાર ભાવનાઓના ગુચ્છમાં તેનું સ્થાન અંત તરફનું હોવાથી તેમાં રહેલાં ઊંચા વિચારોનો ખ્યાલ તેના વિશેષ અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. જૈન ધર્મમાં ‘બોધિ' શબ્દ એ વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. મૂલતઃ ‘વોધિ’ સંસ્કૃત શબ્દ છે. પ્રાકૃત ભાષામાં ‘બોહિ’ તેનો સમાનાર્થી શબ્દ છે. બોધિ શબ્દ બુધ ધાતુ ઉપરથી આવેલો છે. બુધ એટલે જાણવું. પ્રબુદ્ધ, વિદ્વાન, જ્ઞાની માણસ માટે પણ 'બુધ' શબ્દ વપરાય છે. જ્યારે જૈન પરિભાષામાં ‘બોધિ' શબ્દ આત્માના જ્ઞાન પ્રકાશ માટે વપરાય છે. જેમ વ્યવહા૨માં કીંમતીમાં કીંમતી પ્રકાશમાન પદાર્થ તે ‘રત્ન’ છે તેમ અધ્યાત્મમાં બોધિને રત્નનું રૂપક આપવામાં આવે છે. બોધિ શબ્દ એ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે પણ વપરાય છે. सम्यग्दर्शन ज्ञानचारित्राणा मत्रया प्रायणं बोधि ।। છે. જેને સમ્યગ્ દર્શન જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ ન હોય અને તે પ્રાપ્ત થાય તો તેને બોધિ કહેવાય. જૈન દર્શનમાં એ સ્પષ્ટ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ વિના મોક્ષ અશક્ય છે. માટે જ બોધિબીજની પ્રાપ્તિ એ ખૂબ જ જરૂરી છે. ભાવનાઓના ક્રમમાં દસમે ક્રમે આવતી 'લોકસ્વભાવ' ભાવનામાં ભાવકને સંસારની અસારતા, અનિત્યતા, અશુચિ વગેરેને સમજાવ્યા બાદ અનંત એવા ૧૪ રાજલોકના વિશાળ વિશ્વનું દર્શન કરાવાય છે. જેમાં છએ દ્રવ્યોના પરસ્પર સંબંધી એકજાતની વિચિત્ર ઉથલપાથલોથી ભરપુર આ જગતની વાસ્તવિકતાનું વિહંગાવલોકન થાય છે. જેનાથી પુદ્ગલોના પર્યાયની અશાશ્વતતા સમજાય છે. ત્યારબાદ અગિયારમાં ક્રમે આવતી ‘બોધિ દુર્લભ’ ભાવનાને સમજાવવા એમ કહી શકાય કે વિકટ રણમાં મીઠી વિરડી જેમ દુર્લભ છે તેમ વિકટ એવા ૮૪ લાખ યોની યુક્ત સંસારમાં સમ્યક્ત્વ સાથેનો મનુષ્ય જન્મ ખૂબ જ દુર્લભ છે, અને તેની દુર્લભતા સમજાય તે અતિ જ દુર્લભ ઘટના છે. બોધિના અર્થને વધારે સ્પષ્ટ કરતાં જણાવાય છે કે બૌધિ એટલે સ્પષ્ટ જ્ઞાન, વિવેકપૂર્વકનું જ્ઞાન અને શુષ્કતા વગરનો પ્રકાશ. એટલે કે આત્માનો પ્રકાશ કે જે સત્યના સ્વરૂપને ગ્રહણ કરી શકે. માનવ જીવનમાં સાધનોને સાધ્ય માનવાથી ઘણો અનર્થો સર્જાય છે. માટે જ અનુભવના આધારે ફરી ને ફરી ઈતિહાસનું પુનરાવર્તન ન થાય અને અનર્થો થતાં અટકે તે માટે સંભાળ રાખવાની આવશ્યકતા છે. મનુષ્યત્વ પ્રાપ્ત કરીને પણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક D શ્વેતલ શાહ - જો માનવી મોહ-મિથ્થાવ કે માયા-કપટથી ઘેરાઈ જાય તો તેને મળેલો દુર્લભ સંયોગ એટલે કે માનવજીવન વ્યર્થ કરી બેસે છે. દુ:ખ કે સુખની હાજરીમાં બોધિ સંપૂર્ણ પ્રાપ્તિ કરી શકાતી નથી. દેવલોકના વૈભવી સુખો વચ્ચેના જીવનમાં બહુ દીર્ઘ કાળ સુધી આનંદ અને વિશ્વાસ હોય છે. આવા દેવભોગો બોધિ રત્નને પરિણામે સહજ પ્રાપ્ત થાય છે. જોકે વિશિષ્ટ બોધિ રત્નને ઓળખનારને એ સુખની વાંછના હોતી નથી. તેવી જ રીતે સંસારના દુઃખોને કારણે પણ મનુષ્ય અજ્ઞાન-મિથ્યાજ્ઞાનમાં પડી જઈ પ્રકાશ પામતો નથી. તો કેટલીક વખત શંકાઓ કરી માર્ગભ્રષ્ટ થાય છે. પોતાના નાના સંસારિક વર્તુળ (સર્કલ)ને સર્વસ્વ માની મનુષ્ય એમાં જ મસ્ત રહે છે અને જરાપણ પ્રગતિ કર્યા વગર આવ્યો હોય તેવો જ પાછો ચાલ્યો જાય છે. આ માટે જ કહેવાય છે કે બોધિ રત્ન વગરનું મનુષ્યત્વ તદ્દન નિરર્થક છે. કારણ કે બોધિ વગર મનુષ્ય ભવ ઉદ્દેશ વગરનો થઈ જાય છે. વળી ધર્મની અંદ૨ પણ અનેક પ્રકારના પેટા ભેદો જોવા મળે છે. જેમાં પોતાને જ બુદ્ધિશાળી માનનારા લોકો દલીલોની ગુંચવા ઊભી કરે છે. જેનાથી માાસનું મગજ ગુંચવવામાં પડી જાય છે. એશ સત્યને સર્વ સત્ય માનવા મનાવવાની ઈચ્છા વચ્ચે ભ્રમમાં પડી જવાના પ્રસંગો બની શકે છે, જે શુદ્ધ બોધિની પ્રાપ્તિમાં બાધા રૂપ છે. કાર્તિકેય અનુપ્રેક્ષા અનુસાર બોધિના ત્રણ પ્રકાર છે. જ્ઞાન બોધિ, દર્શન બોધિ અને ચારિત્ર બોધિ. સંસારમાં ખરેખર ધન વૈભવ દુર્લભ નથી, પરંતુ માનસિક શાંતિ દુર્લભ છે. જે માત્ર સભ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. અહીં જે સમ્યગ્ કહ્યું છે તેના પાંચ લક્ષણો છે. (૧) આસ્તિકતા-આત્મા, કર્મ આદિમાં શ્રદ્ધા (૨) શમન-ક્રોધ આદિ કષાયોનું શમન (૩) સર્વગ મોક્ષ પ્રત્યેની તીવ્ર અભિલાષા (૪) નિર્દેદ-નૈરાગ્ય (૫) અનુકંપા-કૃપાભાવ. પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપા આમ આવા સમ્યગ્ પ્રકારનું જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ બોધિની પ્રાપ્તિ કરવામાં સહાયક છે. પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક વ્યવહાર જગતના ઉદાહરણો દ્વારા પણ બોધિ દુર્લભને સામાન્ય જીવો માટે સમજાવવામાં આવે છે. એક દરિદ્ર વિપ્ર હતો. ખૂબ કષ્ટથી ઘર-ગુજરાન ચલાવતો. આવી પરિસ્થિતિમાં તેને લગ્ન કરવાની દુર્બુદ્ધિ થઈ. એ પરણ્યો, દારિદ્ર વધ્યું અને ગુલામ દશાના એ વિષે અનેક ગુલામીઓ વધારી. તે કંટાળ્યો અને ઘર મૂકીને દૂર દેશમાં ભાગ્યો. ત્યાં તપ કરવા લાગ્યો અને કોઈ દેવની કૃપાથી તેને ચિંતામણી રત્ન મળ્યું. એ પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148