________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છમાં બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો
ડૉ. કાન્તિલાલ છગનલાલ પરમારે
એક સમયે બૌદ્ધ પંથ સારાય હિંદમાં પ્રવર્તમાન હતો. કચ્છ પ્રદેશમાં તે વિશિષ્ટ રીતે જીવંત હતો. કચ્છમાં હજુ પણ બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો મળી આવે છે. ક્ષત્રપ રાજા રુદ્રદામાના વર્ષ બાવનના નિર્દેશવાળા ચાર શિલાલેળો કચ્છ પચ્છમના આંધૌ ગામેથી મળી આવ્યા હતા. અત્યારે તે ભૂજના મ્યુઝિમમાં સંગ્રહાયેલા છે તે ઈ.સ. ૧૩૦ની આસપાસના છે. આંધૌના આ ચારેય શિલાલેખો લષ્ટિ એટલે કે સમગ્ર સ્તંભ (પાળિયા) તરીકે ઊભા કરવામાં આવેલા. તેમની બે ષ્ટિ ખાસ આપણું ધ્યાન દોરે છે. એક ષ્ટિ સીહર્મિત (સિંહમિત્ર)ની પુત્ર શ્રામણેરી યશદતા(યશોદત્તા)ના સ્મરણ અર્થે ઊભી કરવામાં આવી છે. બીજી લષ્ટિ એક બૌદ્ધ ભિક્ષુ શ્રામણેર પ્રેષ્ટદત્તના પૂર્વભવના પુત્ર ઋષભદેવના સ્મરણ અર્થે ઊભી કરવામાં આવી છે. આ બંને લષ્ટિઓમાં શ્રામણેરી અને શ્રામણેર ઉલ્લેખ બૌદ્ધ હોવાનું જણાય છે.
યુઅનશ્વાંગ ૨૦મી જૂન ૬૪૧ ને દિવસે લગભગ કચ્છ તરફ આવ્યાનું નોંધાયું છે. એણે કચ્છના રણ પ્રદેશ સહિતના પ૦૦૦ લી (લગભગ ૧૩૪૦ કિલો મીટર) વિસ્તારનો વિસ્તૃત ઉલ્લેખ કરેલો છે. તે આ પ્રદેશ સિંધને તાબે હોવાનું અને એમાં ૮૦ ઉપરાંત સંઘારામ આવેલા હોવાનું અને તેમાં પ૦૦ થીય વધારે ભિક્ષુઓ રહેતા હોવાનું તેમજ તેઓ હિનયાનના સમ્મિતિય નિકાયને અનુસરતા હોવાનું કહે છે. વધુમાં તે કહે છે, ભગવાન બુદ્ધે અહીં ઉપદેશ આપ્યો હોવાની કહેવાતી જગ્યાઓએ અશોકે ૬ સ્તૂપ બંધાવેલા, કનિંકેહામ જેને કોટિશ્વર ગણાવે છે તે આ પ્રદેશ ! ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી કનિંઘહામના આ સૂચનને સંભવિત ગણે છે.' ડૉ. રાધાકુમુદ મુખરજી તેને હાલનું કરાંચી (પાકિસ્તાન) ગણાવે છે.પ
કચ્છના છેક પશ્ચિમ કાંઠે - પાકિસ્તાનની તદ્દન નજીક અને કરાંચીની બરોબર સામે ‘કોરી નાળ’ના નાકા ઉપર આવેલું હિંદનું એવુ એકમાત્ર બંદર કોટેશ્વર વિશિષ્ટ ભૌગોલિક સ્થાન ધરાવે છે એ ઘણાના ખ્યાલ બહાર હશે. આજે આવું મહત્ત્વનું સ્થાન ધરાવતું એ સ્થાન લોકોમાં એક પુરાણોક્ત ધામ ગણાય છે. યુઅન- શ્વાંગ તેની પ્રવાસનોંધમાં ‘કોરી નાળને કાંઠે’ આવેલા કોટેશ્વર બંદરનો ઉલ્લેખ કરે છે. તે ‘સિંધુના મુખ પાસે મહાર્ણવને કંઠે, આશરે ૮ કિ.મી.ના ઘેરાવામાં આવેલું ‘કહી આ બંદરનું કાઇત્-શ-કૂયલ' એવું ચીનીમાં અપ્રભંશ પામેલું નામ આપે છે અને તેમાં ૫૦૦૦ બૌદ્ધ બિક્ષુઓના ૮૦ વિહાર હોવાનું કહે છે.
રામસિંહજી રાઠોડે તેમના ‘કચ્છનું સંસ્કૃતિદર્શન’ ગ્રંથમાં સમુદ્ર વચ્ચે નીલકંઠ મહોદવનું મંદિર તેની પડથારની ભીંતનો નવો ચણેલો ભાગ પડી જતાં દેખાયેલો ચૌત્યાકાર ગોખ પંડધારની એક પડખેની ભીંતમાં મકરમુખના સુશોભન નીચે ચૈત્યાકાર ગોખમાં મુખાકૃતિવાળું શિવલિંગ (ચૈત્ય) એવા અતિ પ્રાચીન અવશેષો હોવા સંભવે છે એમ કહ્યું છે.
ઈ.સ. ૧૯૧૪માં ભૂજમાં મ્યુઝિયમમાં બુદ્ધની એક ધાતુમૂર્તિ હોવાનો ઉલ્લેખ પણ મળે છે. (જુઓ આ અંકના મુખ પૃષ્ઠ પરની તસવીર)
શૈલ ઉત્કીર્ણ ગુફાઓ
કચ્છમાં પ્રાગ-મૈત્રકાલીન સ્થાપત્યકીય સ્મારક અવશેષ હયાત રહ્યા નથી એમ પહેલાં મનાતું હતું. પરંતુ ઈ.સ. ૧૯૬૯માં અધ્યા.(ડૉ.) કેશવરામ કા. શાસ્રીએ કચ્છના લખપત તાલુકાના જૂના પાટગઢ નગરની પૂર્વ-દક્ષિણે
પથિક દ્વીપોત્સવાંક-૧૯૯૭ ૦ ૯
•
For Private and Personal Use Only