Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ કટેશ્વર મહાદેવ તથા કટેશ્વરી માતાના મંદિરોથી પશ્ચિમ બાજુના પહાડમાં ઇસુની પ્રાયઃ ત્રીજી શતાબ્દીના સમયની શૈષ-ઉત્કીર્ણ ગુફાઓ શોધી કાઢતાં એ માન્યતા ખોટી કરી. આ ગુફાઓના ૨.૫ મીટર ઘેરાવામાં બબ્બે ખંડ, તેના સ્તંભ અને ઓસરી ઉલ્લેખનીય છે. બહારવટિયા ખાપરા-કોડિયાની નામ સાથે સંકળાયેલી આ ગુફાઓની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ તો હશે જ તેવું અનુમાન તેઓ કરે છે. તેનું વર્ણન કરતાં તેઓ કહે છે કે એમાંથી પૂર્વ બાજુની ઓસરી ઘાટની ગુફાનો એ પશ્ચિમ બાજુની ગુફા આગળનો ઓસરી જેવો ભાગ સંપૂર્ણ નષ્ટ થઈ ગયેલાં છે, તેના અવશિષ્ટ ભાગોમાં અંદાજે ૨.૪ x ૨.૪ મીટર માપનો ભમતીયુક્ત ખંડ, એના પ્રવેશદ્વાર ઉપરનું હવે અસ્પષ્ટ ભાતવાળું કોતરકામ, અંદાજે ૩ X ૨.૪ મીટર માપવાળાં બીજો ખંડ, ૫ X ૨.૫ મીટરની પડસાળ, એમાં આવેલા અંદાજે ૬૦ સે.મી. ઘેરાવાવાળા બે સ્તંભ આદિ ઉલ્લેખનીય છે. કચ્છમાં બૌદ્ધો પથરાયેલા હતા તે કાળમાં કોતરાયેલી મનાતી આ ગુફાઓનાં ઉપર્યુક્ત બંને સ્તંભો અને શિરોભાગની હાંસ બૌદ્ધ સ્તંભોના ધાટની હોવાથી એ બૌદ્ધ ગુફાઓ હોવાનું તેઓ માને છે. આ બૌદ્ધ હોય તો ગુફા વિહાર જ હશે. સિયોત (કટેશ્વર) અત્રે જે અવશેષોની વાત કરી છે તે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ નજીક આવેલ કટેક્ષ નજીકની ગુફાઓમાંથી મળી આવ્યા છે. કટેશ્વર મધ્યકાલીન વાધમ ચાવડાઓની કચ્છની રાજધાની પાટગઢના વિસ્તારમાં સમાવિષ્ટ હતું. કચ્છશ્વર પરથી કટેશ્વર કહેવાતું હોય તે અહીં સંભવિત છે. સિયોતની આ બૌદ્ધ ગુફાઓ અત્યંત મનોરમ્ય સ્થળ દરિયાની સમીપે જૂના પાટગઢના પ્રાચીન અવશેષોની નજીક જ છે તેમજ પ્રાચીન શૈલ-મંદિર કટેશ્વરથી કચ્છમાં પ્રવેશતા પ્રાચીન માર્ગ પર આવેલી છે. લખપત તાલુકાના ગુજરાત રાજય રક્ષિત સ્મારકમાં તે આવે છે. ગુજરાતમાં ખૂબ જ અગત્યના બૌદ્ધ અવશેષો મહારાજ સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્ત્વ અને પ્રાચીન ઇતિહાસ વિભાગને સાબરકાંઠાના ભિલોડા તાલુકામાં આવેલ પ્રખ્યાત શામળાજી પાસે આવેલ દેવની મોરીના ભોજરાજાના ટીંબાના સને ૧૯૫૯ થી ૧૯૬૩ના ઉખનનમાંથી પ્રાપ્ત થયા છે. આ ઉત્પનન ગુજરાતના પુરાવિદ સ્વ. પ્રો. ડૉ. રમણલાલ ના. મહેતા અને તેમના સાથી પુરાવિદ પ્રા. ડૉ. સૂર્યકાન્ત ન. ચૌધરીએ કરેલું. અહીંથી એક સુંદર મહાતૂપ બુદ્ધના શરીરાવશેષ સાથેના પથ્થરના દાબડાના ઐતિહાસિક પુરાવા સાથે મળ્યો છે. તેમાંથી બુદ્ધની સુંદર મૂર્તિઓ, સુશોભન કમાનો, તકતીઓ વગેરે મળ્યાં. બાજુમાં જ મહાવિહાર અને બીજા નાના વિહારના અવશેષ પણ મળી આવ્યા. ગુજરાતમાંના બૌદ્ધ અવશેષોમાંની આ એક અતિ દુર્લભ પ્રાપ્તિ છે." એવી જ રીતે સિયોતમાંથી મળેલા બૌદ્ધ અવશેષો પણ ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વના છે. અહીંની એક જ મોટી અને સાત નાની ગુફાઓનું ઉત્પનન ગુજરાત સરકારની પુરાતત્ત્વીય સલાહકાર સમિતિના સભ્ય નિવૃત પ્રો. (ડૉ.) સૂર્યકાન્ત ન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કચ્છ વર્તુળ, ભૂજના તે સમયના અધિક્ષક પુરાતત્ત્વવિદ શ્રી જયપ્રકાશ દ. ત્રિવેદીએ સપ્ટેમ્બર ૧૯૮૮માં શરૂઆત કરીને એપ્રિલ ૧૯૮૯ના પ્રથમ અઠવાડિયામાં પૂરું કર્યું. આ સ્તરબદ્ધ ઉખ્ખનનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બૌદ્ધ અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો ગુફાઓ માંહેના ચૈત્યગૃહ, પ્રદક્ષિણાપથ તથા ભંડારકક્ષમાંથી મળી આવ્યા છે. તેમાં સૂર્યના તાપમાં પકવેલ માટીની તકતીઓ (Tablets), માટીની મૂર્તિઓ, સિક્કા અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. માટીની તકતીઓ (sealings) ઉત્નનનને પરિણામે અસંખ્ય કાચી માટીની (Terracota) તકતીઓ આશરે ૧૫ સે.મી. થી ૨૦ સે.મી. કંદની મળી આવી છે. તેના પર બુદ્ધ, સૂપ અને બ્રાહ્મી લિપિના અક્ષરો વગેરેનાં મુદ્રાંકન છે. ભગવાન બુદ્ધની - પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૦) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68