Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષત્રપોનું સંયુક્ત શાસન આ યઝિલેખો ચાન્ટન અને દ્રદામાના સંયુક્ત શાસનની હકીકતને સમર્થન આપે છે. સિક્કા લેખો પરથી માલૂમ પડે છે કે આ ક્ષત્રપ વંશમાં મહાક્ષત્રપ અને ક્ષત્રપના સંયુક્ત શાસનની પ્રથા હતી. તેઓ બંને પોતપોતાના નામે સિક્કા પડાવતા. પહેલા રાજા ચાન્ટન મહાક્ષત્રપ તરીકેને એનો પુત્ર જયદામાં ક્ષત્રપ તરીકે સિક્કા પડાવતા. તે પછી જયદામાનું સ્થાન એના પુત્ર દ્ધદામાએ લીધું. આ પરથી માલુમ પડે છે કે પિતા ચાટનની હયાતીમાં યુવરાજ જયદામાનું અકાળ અવસાન થતાં તેની જગ્યાએ જયદામાના પુત્ર રુદ્રદામાની નિમણૂક થઈ હતી અને મહાક્ષત્રપ તરીકેનો અધિકાર ચાલ્ટન પછી એના પૌત્ર માને પ્રાપ્ત થયો હતો. અંધૌમાંના એ પછીના યષ્ટિપ્લેખમાં બ્રામોતિકના પુત્ર રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના પુત્ર સ્વામી ‘જયદામાના પુત્ર રાજા સ્વામી રુદ્રદામાના શાસનના (શક) વર્ષ (+) રમાં શ્રામણેર શત્રંસહના પુત્ર અપથીકની યાદગીરીમાં તેના પુત્ર ધનદેવે યષ્ટિ કરાવ્યાનો ઉલ્લેખ છે. આ લેખમાં ચાષ્ટનને મહાક્ષત્રપ અને સ્વામી કહ્યો છે. જ્યારે જયદામાં અને રુદ્રદામાને રાજા તેમ જ સ્વામી કહ્યા છે. આથી આ અભિલેખ દ્રદામાને મહાક્ષત્રપનું બિરુદ મળ્યું એ પહેલાનો અર્થાત્ શક વર્ષ ૭૨ (માર્ગશીર્ષ)ના જૂનાગઢ શૈલલેખ પહેલાંનો હોવો જોઈએ, જેમાં એને મહાક્ષત્રપ કહ્યો છે. એકમનો અંક ૨ વંચાય તો એ શક વર્ષ ૬૨ (ઈ.સ.૧૪૦-૧૪૧)નો કે ૭૨ (ઈ.સ. ૧૫૦)ના પૂર્વ ભાગનો હોવા સંભવ છે; ને એકમનો અંક ૩ વંચાય તો એ શક વર્ષ પ૩ (ઈ.સ.૧૩૧) (કે ૬૩ ઈ.સ.૧૪૧)નો હોઈ શકે. રુદ્રસિંહ ૧ લાના વાંઢ(તા. માંડવી) યષ્ઠિલેખમાં રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રદામાના પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસિંહના પ્રાયઃ (શાક) વર્ષ ૧૧૦ (ઈ.સ.૧૭૮-૭૯)માં કોઈની સ્મૃતિમાં યષ્ટિ ઊભી કરાવ્યાનો ઉલ્લેખ છે. યષ્ટિ કરાવનારનું નામ વંચાતું નથી. - રુદ્રસિંહ ૧ લાના અંધ યઝિલેખમાં રાજા ક્ષત્રપ જયદામાના પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી દ્ધદામાના પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસિંહના રાજ્યમાં (શક) વર્ષ ૧૧૪(ઈ.સ.૧૯૨-૯૩)માં કોઈ આભીરે કોઈ સ્વજનની યષ્ટિ કરાવ્યાનો ઉલ્લેખ છે. મેવાસા(તા.રાપર)યણિલેખમાં રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના વંશજ મહાક્ષત્રપ ભર્તુદામાના રાજ્યના (શક) વર્ષ ૨૦૩ માં હરિહોવક ગોત્રના આભીર શ્વસનના પૌત્ર, વપના પુત્ર વસુરાકે એના સ્વામી રાજયેશ્વરની સ્મૃતિમાં યષ્ટિ કરાવ્યાનો ઉલ્લેખ છે. લેખની પંક્તિ ૧માં રાજા મહાક્ષત્રપ સ્વામી ચખણનું, પંક્તિ રમાં રાજા મહાક્ષત્રપ ભદ્રિદમનું નામ આવે છે, જ્યારે પંક્તિ ૩ માં “રાજા મહાક્ષત્રપ' જ આપ્યું છે, ને એનું નામ જણાવ્યું નથી. રાજા મહાક્ષત્રપ સ્વામી ચખણ (પ. ૧) અને રાજા મહાક્ષત્રપ ભક્િદમ (૫.૨)ની વચ્ચે ‘પુત્રપુપુત્ર' (? પુત્રપ્રપૌત્ર) જેવો સંબંધ દર્શાવ્યો છે. ભક્િદમ (પં. ૨) અને રાજા મહાક્ષત્રપ (પં. ૩) ની વચ્ચે પણ એવું જ વિશેષણ આપેલું છે. ચાષ્ટનના પુત્રનો પ્રપૌત્ર કોણ? એને એવા ચાર પુત્રપ્રપૌત્ર હોય. જીવદામા (શક ૧૧૯-૧૨૦), રુદ્રસેન ૧ લો (શક ૧૨૨-૧૪૪), સંઘદામા (શક ૧૪૪–૧૪૫) અને દામસેન (શક ૧૪૫-૧૫૮). પ્રાયઃ પંક્તિ ૩ માં “પુત્રપ્રપૌત્રી જ્ઞો મહાક્ષત્રપર્ણ' એ પંક્તિ રમાં ભક્િદમ માટે પ્રયોજેલ પદ સરતચૂકથી અહીં વધારાનું લખાઈ ગયું છે ને આ લેખ રાજા મહાક્ષત્રપ સ્વામી ચાષ્ટનના પુત્રપ્રપૌત્ર રાજા મહાક્ષત્રપ ભદ્િદામના શાસનકાલનો છે, તો પછી આ ભદિમ જીવદામાં કે દામસેન હોઈ શકે ને લેખનું વર્ષ (શક) ૧૧૯-૨૦ કે ૧૪પ-૧૫૮૦ પૈકીનું હોવું જોઈએ. પરંતુ આપેલા સંખ્યાદર્શક પદમાં એવું કાંઈ બંધબેસતું નથી. આથી પંક્તિ (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૨૧) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68