________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ જ જ્ઞાનપ્રકાશ
જ્ઞાનથી શ્રદ્ધા ટકી રહે છે. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનની ઉપાસના કરવાની છે. તવના જ્ઞાન વગર અન્ય જ્ઞાન ટકી શકતું નથી, તેનું જ્ઞાન જીવનમાં સુખ અને શાંતિ આપનાર છે. નવ તત્ત્વના સમૂહથી થયેલો બોધ તે જીવનનું દર્શન કરાવે છે. જ્ઞાન સર્વે ગુણોનું મૂળ છે. અંધારામાં બીક લાગે છે, પ્રકાશમાં કદી બીક લાગતી નથી, તેમ અજ્ઞાનરૂપી અંધકાર જ્યાં સુધી આપણા જીવનમાં હોય ત્યાંસુધી આપણને ભય લાગે છે, પણ જ્ઞાનરૂપી પ્રકાશ આવતાં આપણે ભય ચાલ્યા જાય છે. જ્ઞાનથી સ્વસ્થતા, શાંતિ ને સમતા મળે છે. જ્ઞાન મેળવવા માટે મન અને એકાંત ખૂબ જરૂરી છે. આત્માની ખેજ માટે જ્ઞાનની જરૂર છે.
વસ્તુ મેળવતાં પહેલાં વસ્તુનું જ્ઞાન મેળવી લેવું. વસ્તુનું જ્ઞાન આવ્યા પછી વસ્તુને કેમ વાપરવી તે આવડે છે.
For Private And Personal Use Only