Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala

View full book text
Previous | Next

Page 204
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાથેય આત્માને વિચાર કરતાં કરતાં તે વિચાર વાણુમાં આવે છે ને વર્તનમાં આવે છે. દેવ, ગુરુ ને જોષી પાસે કદી ખાલી હાથે જવું નહીં. ફળ મૂકવાથી ફળ મળે છે. ધ્યાન ધરવાનાં ત્રણ સ્થાન છે : હૃદય, લલાટ ને આંખ. ત્યાં ધ્યાન ધરવાથી આત્મતિ પ્રગટે છે. સારા દેખાવા પ્રયત્ન કરવા કરતાં સારા બનવા પ્રયત્ન કરવાનો છે. જેને જીભ કાબુમાં છે, તેને કદી દુનિયામાં ઝગડે થતો નથી, તેથી વ્યવહારમાં જીભ સાથે ખૂબ જ સંબંધ છે. તમે જે બોલે તે ખૂબ જ વિચારીને બેલે. ભગવાન સંસાર તરવાને માર્ગ દેખાડે છે. તે જગતના બનાવનાર નહીં, પણ જગત બતાવનાર છે. શરદના વાદળાંઓ દૂર થાય, ત્યારે ચંદ્ર ઉજજવળ દેખાય છે, તેમ મલિન તો દૂર થાય ત્યારે આત્મા શુદ્ધ થાય છે. ૧૮૮ For Private And Personal Use Only


Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209