Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala

View full book text
Previous | Next

Page 206
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાથેય ઊંઘ એ જાગૃતિને આરામ છે, મૃત્યુ એ જીવનનો આરામ છે. ખાઈને રાજી થઈ એ તેના કરતાં ખવડાવવાથી વધારે રાજી થવાય. રાગ કરતાં ત્યાગનું ગીત મહાન છે. ત્યાગનું ગીત આત્માને જગાડનારું છે. અંતરને સાવધાન રાખવા માટે, તેમાંથી અજ્ઞાનને અંધકાર દૂર કરવા માટે, અંતરને સતત જોવા માટે અને જોવા માટે વ્યાખ્યાનની જરૂર છે. ભૂલને સુધારવી હોય તો ભૂલને પહેલાં એકરાર કરવાને છે, ભૂલને થાબડવી નહીં. જીવોને છોડાવવા કરતાં જેને મારનારને છોડાવવાથી હંમેશ માટે હિંસા અટકી જાય છે. ધમીને મન મૃત્યુ એ ઊંઘ છે અને જેમ જાગીને ઉઠે તે સવાર હોય તેમ ધમને પુનર્ભવ છે. સંસારના પ્રાણીમાત્રનાં મોઢાં નીચાં છે, માત્ર માનવી જ ઊંચું મોઢું રાખીને ચાલે છે, પણ આજે માનવી પાપથી પિતાનું મોટું નીચું કરીને ચાલે છે. ૯૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209