________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ તાકાત
જીવનની પ્રત્યેક પળમાં ધર્મ હોવા જરૂરી છે, જે વિચારે છે, તેમાંથી એક તાકાત ઊભી થાય છે. વરાળથી એજિન ચાલે છે. માણસના મગજમાં રહેલા વિચારાની તાકાત ઘણી છે.
માણસને નિર્ભય બનવાનુ છે, અભયના પ્રકાશમાં માણસે જીવવાનુ છે. અનંત શક્તિ ખીલવવાના આ માગ છે. જે વિચારાને જીતે છે, તે જ જગત જીતે છે. રાત્રિની ઊઘ દિવસના વિચારાના પડઘા છે.
*
૮ બદલા પ્રેમ બદલેા નથી માગતા, જયારે રાગ બદલા માગે છે. પ્રેમમાં ફરિયાદ નથી, જયારે રાગમાં ફરિયાદ છે. વેશ્યાને ત્યાં જવાની ના પાડનાર માનુ કાળ કાઢવા વેશ્યાએ માના કાળજાની યુવાન પાસે માગણી કરી. આવેશમાં અને આવેશમાં માને મારી તેનું કાળજું વેશ્યાને આપવા જતાં, રસ્તામાં તેને ઠેસ વાગી ને તે પડી ગયેા, ત્યારે કાળજુ ખેલે છે કે “ખમ્મા, મારા બાળ.” આ અવાજથી દીકરાની આંખ ઉઘડી ગઈ. હવે દીકરાને રાગ અને પ્રેમ વચ્ચેનુ અંતર સમજાયું.
},
૧૫૬
For Private And Personal Use Only