Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala

View full book text
Previous | Next

Page 199
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાથેય તેટલે કરવાનો છે, અને મને જીતવાની તૈયારી કરી લેવાથી પરંપરાએ આત્મા મુક્તિમાં ચાલ્યા જાય છે. દુઃખને ભૂલવા પ્રયત્ન નથી કરવાને, પણ દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. મકાનની પ્રતિષ્ઠા માણસથી છે, પણ માણસની પ્રતિષ્ઠા મકાનથી નથી. પૂતળાને સુંદર કપડાં પહેરાવવાથી પૂતળું પણ સુંદર લાગે છે, પણ યાદ રાખજે કે પૂતળામાં ચેતના નથી. “છે અને છતાં પણ નથી અને છે.” એટલે જગત છે, તે આપણે લીધે છે. આપણે ન હોઈએ, ત્યારે જગત છે, પણ તે આપણા માટે નથી. વગર કીધે સમજે તે દેવ. કહીએ ને સમજે તે માણસ કહીએ છતાં ન સમજે તે ઢેર. સંસારનાં સુખ સુગર કેટેડ ગોળી જેવાં ઉપરથી બન્યાં લાગે અને અંદર તે કડવાશ જ હોય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209