________________
પરદેશમાં જૈન ધર્મ
જૈન ધર્મ મુખ્યત્વે તે આચારપ્રધાન ધર્મ છે, પ્રચારપ્રધાન ધર્મ નથી તેમ કહેવાય છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને દૂતે પરદેશમાં ધર્મ પ્રચારાર્થે ખાસ ગયા હતા. અશોકના રાજદૂતે શ્રીલંકામાં ધર્મ પ્રચારાર્થે ગયા તેમ અન્ય સાધુઓ બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ચીન, જાપાન અને અન્ય દેશોમાં ગયા હતા. જૈન ધર્મના સાધુઓ દરિયે ઓળંગીને દેશાવર જતા નથી તેથી જૈન સાધુઓ જૈન ધર્મના પ્રચારાર્થે દૂરદૂરના દેશમાં ગયા હોય તેવું ભૂતકાળમાં નહીંવત્ જ બન્યું છે. સમ્રાટ સિકંદરે ભારત પર ચડાઈ કરી અને ભારતમાં
જ્ય-પરાજય બંનેનાં ફળ ચાખીને તે પિતાના પ્રાંત યુનાન પાછો ગયે ત્યારે તક્ષશિલાના એક જૈન મુનિ જેમનું નામ કલ્યાણ મુનિ હતું તે તેની સાથે ગયા હતા. આ કલ્યાણ મુનિ રેલીનાસ મુનિને નામે ઓળખાયા હતા. તેઓ ઘણાં વર્ષે એથેન્સમાં