Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ પાપ-પુણ્ય ૧૭ મારી વાત સમજો એક વખત કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં. કાળા બજારનો ય ના અડે કે ધોળા બજારનો ય ના અડે. પુણ્ય વગર તો ચોરીનો ય પૈસો આપણને ના અડે. પણ એ પાપાનુબંધી પુણ્ય છે. તમે કહો છો તો પાપ, તે છેવટે પાપમાં જ લઈ જાય છે. એ પુણ્ય જ અધોગતિમાં લઈ જાય છે. ખરાબ પૈસો આવે એટલે ખરાબ વિચાર આવે કે કોનું ભોગવી લઉં, આખો દહાડો ભેળસેળ કરવાના વિચાર આવે, એ અધોગતિમાં જાય છે. પુણ્ય ભોગવતો નથી ને અધોગતિમાં જાય છે. એના કરતાં પુણ્યાનુબંધી પાપ સારું કે આજ જરા શાક લાવવામાં અડચણ પડે પણ આખો દહાડો ભગવાનનું નામ તો લેવાય અને પુણ્યાનુબંધી પુણ્ય હોય, તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઊભું થાય. ...તો તો પરભવતું ય બગડે ! પ્રશ્નકર્તા: આજનો ટાઈમ એવો છે કે માણસ પોતાના બે છેડા પૂરા કરી શકતો નથી. એ પૂરા કરવા એને સાચું-ખોટું કરવું પડતું હોય, તો એ કરી શકાય ? ૧૮ પાપ-પુણ્ય મહેનતથી કમાતા હશે કે બુદ્ધિથી ? પ્રશ્નકર્તા: બંનેથી. દાદાશ્રી : જો પૈસા મહેનતથી કમાતા હોય તો આ મજૂરોની પાસે ઘણાં બધા પૈસા હોય. કારણ કે આ મજૂરો જ વધારે મહેનત કરે છે ! અને પૈસા બુદ્ધિથી કમાતા હોય તો આ બધા પંડિતો છે જ ને ! પણ તે એમને તો પાછળ ચંપલ અડધું ઘસાઈ ગયેલું હોય છે. પૈસા કમાવા એ બુદ્ધિના ખેલ નથી કે મહેનતનું ફળ નથી. એ તો તમે પૂર્વે પુણ્ય કરેલું છે, તેના ફળરૂપે તમને મળે છે અને ખોટ એ પાપ કરેલું, તેના ફળરૂપે છે. પુણ્યને અને પાપને આધીન લક્ષ્મી છે. એટલે લક્ષ્મી જો જોઈતી હોય તો આપણે પુણ્ય-પાપનું ધ્યાન રાખવું જોઈએ. ભૂલેશ્વરમાં અર્ધા ચપ્પલ ઘસાયેલા બધા બહુ માણસો અક્કલવાળા છે. કોઈ માણસ મહિને પાંચસો કમાય છે, કોઈ સાતસો કમાય છે, કોઈ અગિયારસો કમાય છે. કૂદાકૂદ કરી મેલે છે કે અગિયાર સો કમાઉં છું અરે, પણ તારું ચંપલ તો અધું ને અધું જ છે. જો અક્કલનાં કારખાનાં ! અને કમઅક્કલના બહુ કમાય છે. અક્કલવાળો પાસા નાખે તો છત્તા પડે કે મૂરખ માણસના પાસા છત્તા પડે ? દાદાશ્રી : એ તો એવું છેને, કે દેવું કરીને ઘી પીધા જેવું છે. એના જેવો એ વેપાર છે. આ ખોટા કરેલાથી તો અત્યારે ખૂટે છે, અત્યારે ખૂટે છે એનું શું કારણ ? એ પાપ છે તેથી આજે ખૂટે છે. શાક નથી, બીજું નથી. છતાં હવે જો સારા વિચાર આવતા હોય, ધર્મમાં-દેરાસર જવાના, ઉપાશ્રય જવાના, કંઈક સેવા કરવાના, એવા વિચાર આવતા હોય તો આજે પાપ છે, છતાંય એ પુણ્ય બાંધી રહ્યો છે. પણ પાપ હોય ને ફરી પાપ બાંધીએ એવું ના થવું જોઈએ. પાપ હોય, ખૂટતું હોય ને એવું ઊંધું કરીએ તો પછી આપણી પાસે રહ્યું શું? એ અક્કલતું કે, મહેનતનું ઉપાર્જત ? વાત તો સમજવી પડશેને ? આમ ક્યાં સુધી પોલંપોલ ચાલશે ? ને ઉપાધિ ગમતી તો છે નહીં. આ મનુષ્યદેહ ઉપાધિથી મુક્ત થવા માટેનો છે. ખાલી પૈસા કમાવા માટે નથી. પૈસા શેનાથી કમાતા હશે ? પ્રશ્નકર્તા : જેની પુણ્ય એના છત્તા પડે. દાદાશ્રી : બસ, એમાં તો અક્કલ ચાલે જ નહીંને ! અક્કલવાળાનું તો ઊલટું ઊંધું થાય. અક્કલ તો એને દુ:ખમાં હેલ્પ કરે છે. દુઃખમાં કેમ કરીને સમોવડિયું કરી લેવું, એવી એને હેલ્પ કરે છે. અક્કલ મુતીમતી તે પુર્વે શેઠતી ! લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અક્કલથી કે ટ્રિકો વાપરવાથી આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? જો સીધી રીતે કમાવાતી હોય તો આપણા પ્રધાનોને ચાર આનાય મળત નહીં. આ લક્ષ્મી તો પુણ્યથી કમાય છે. ગાંડો હોય તોય પુર્વેથી કમાયા કરે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40