Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 40
________________ 72 પાપ-પુણ્ય આવે છે અને ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) પોતાનું આત્મ સ્વરૂપ ગણવામાં આવે છે. એ ‘રિયલ’ ધર્મ છે. એટલે આ ‘રિયલ’ અને ‘રિલેટીવ’ બન્ને ધર્મ જુદા છે. જ્યાં સુધી ‘હું કોણ છું જાણે નહીં ત્યાં સુધી પુણ્ય ઉપાદેય રૂપે જ હોય અને પાપ હય રૂપે હોય. પુષ્ય ને પાપ હેય થયું ત્યાં આગળ સમકિત ! ભગવાને કહ્યું કે પાપ-પુણ્ય બેઉની ઉપર જેને દ્વેષ કે રાગ નથી તે ‘વીતરાગ’ છે ! - જય સચ્ચિદાનંદ પાપ-પુણ્ય આ ભવમાં પુર્વે બંધાઈ જ રહી છે તે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય છે. આજ્ઞા પાળવાથી ધર્મધ્યાન થાય છે. તે બધું ફળ આપશે. આપણે મોક્ષમાં જવાનું છે, ત્યાં આગળ મોક્ષમાં જવાય એટલું પુણ્ય જોઈએ. અહીંયાં તમે સીમંધર સ્વામીનું જેટલું કરશો(ભક્તિ-આરાધના), એટલું બધું તમારું આવી ગયું. તમે સીમંધર સ્વામીનું નામ તો સાંભળેલુંને એ હાલ તીર્થકર છે, મહાવિદેહ ક્ષેત્રમાં, એમની હાજરી છે આજે. સીમંધર સ્વામીની ઉંમર કેટલી 60-70 વર્ષની હશે ? પોણા બે લાખ વર્ષની ઉંમર છે ! હજુ સવા લાખ વર્ષ જીવવાના છે ! આ એમની જોડે તાર-સાંધો મેળવી આપું છું. કારણ કે ત્યાં જવાનું છે. અહીંથી સીધો મોક્ષ થવાનો નથી. હજી એક અવતાર બાકી રહેશે. એમની પાસે બેસવાનું છે એટલે સાંધો મેળવી આપું છું. અને આ ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. આખા વર્લ્ડનું કલ્યાણ થશે એમના નિમિત્તથી. કારણ કે એ જીવતા છે. મોક્ષે ગયેલા હોય ને એ કશું જ ધોળે નહીં, એમની ભક્તિથી ખાલી પુણ્ય બંધાય, જે સંસાર ફળ આપે ! ત્યાં પુણ્યતે પાપ બન્ને તિકાલી..... એટલે ધર્મ બે પ્રકારના છે. એક સ્વાભાવિક ધર્મ, એને રિયલ ધર્મ કહેવાય છે. અને બીજો વિભાવિક ધર્મ, એને રિલેટિવ ધર્મ કહેવાય છે. જ્યારે ‘શુદ્ધાત્મા’ પ્રાપ્ત થાય ત્યારે સ્વાભાવિક ધર્મમાં આવે. સ્વાભાવિક ધર્મ જ ખરો ધર્મ છે. એ ધર્મમાં સારું-ખોટું કશું વીણવાનું છે જ નહીં. વિભાવિક ધર્મમાં બધું વીણવાનું છે. દાન આપવું, લોકોની ઉપર ઉપકાર કરવો, ઓબ્લાઈઝિંગ નેચર રાખવો, લોકોની સેવા કરવી એ બધાને રિલેટિવ ધર્મ કહ્યો. એનાથી પુણ્ય બંધાય. અને ગાળો ભાંડવાથી, મારામારી કરવાથી, લુંટી લેવાથી પાપ બંધાય. પુષ્ય અને પાપ જ્યાં છે ત્યાં રિયલ ધર્મ જ નથી. પુણ્ય-પાપથી રહિત રિયલ ધર્મ છે. જયાં પુણ્ય-પાપને હેય (ત્યજવા યોગ્ય) ગણવામાં

Loading...

Page Navigation
1 ... 38 39 40