Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 35
________________ પાપ-પુણ્ય પાપ-પુણ્ય અહંકાર કરતો હોય તો જ પાપ શબ્દ વપરાય. દાદાશ્રી : એ બરોબર છે. અહંકાર કરતો હોય તો જ પાપ-પુણ્ય શબ્દ વપરાય. પણ અહંકાર છે તે આમાં થોડોક ચેન્જ મારે, બીજું કંઈ લાંબું આમાં ચેન્જ મારે નહીં. એ તો બની ગયેલી વસ્તુ છે. એ ઈટ હેપન્સ છે અને નવું પાછું થઈ રહ્યું છે. નવી ફિલ્મ થઈ રહી છે અને આ જૂની તો ફિલ્મ ઊકલે છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી નવું ચીતર્યા વગર રહે જ નહીં ને ! આપણે ગમે તેટલું સમજણ પાડીએ પણ નવું ચીતર્યા વગર રહે જ નહીં ને ! અહંકાર શું ન કરે ? અહંકારથી જ આ બધું ઊભું થયું છે. જો અહંકાર વિલય થાય એટલે મુક્તિ છે. સંબંધ, પુર્વે તે આત્મા તણો..... પ્રશ્નકર્તા : આત્માને પુચ્ચેથી કશો સંબંધ છે ? દાદાશ્રી : કશો સંબંધ નથી. પણ જ્યાં સુધી ‘બિલિફ' એવી છે કે “આ હું કરું છું', ત્યાં સુધી સંબંધ છે. જ્યાં ‘હું કરતો નથી' એ “રાઈટ બિલિફ’ બેસી જાય ત્યાર પછી આત્માને અને પુણ્યને કંઈ સંબંધ નથી. ‘હું દાન કરું છું’ ‘હું ચોરી કરું છું' બેઉ ‘ઈગોઈઝમ’ છે. જ્યાં કંઈ પણ કરવામાં આવે છે ત્યાં પુણ્ય બંધાય કે પાપ બંધાય. અજ્ઞાતતામાં બાંધે પુણ્ય-પાપ, કર્મ ! પ્રશ્નકર્તા: પાપથી કે પુણ્યથી કે પછી બન્નેનું મિશ્રણ થાય, તો કઈ યોનિમાં આપણો જન્મ થાય ? રહી છે અને પોતે એમ માને છે કે હું કરું છું.’ પરશક્તિનો પ્રત્યક્ષ પુરાવો શો ? ત્યારે કહે, ‘આ જગતમાં કોઈ એવો જભ્યો નથી કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. એ તો પરશક્તિ કરાવે છે ત્યારે થાય છે.” હવે આ પરશક્તિ શાથી ઉત્પન્ન થઈ ગઈ ? ત્યારે કહે છે, દરેક જીવ અજ્ઞાનતામાં પુણ્ય અને પાપ બે જ કરી શકે છે. એ પુણ્ય-પાપ જે કરે છે, તેના ફળ સ્વરૂપે કર્મના ઉદય આવે છે. એ ઉદયથી પછી આ કર્મો વળગે છે. ‘હવે પુણ્ય-પાપ બંધાવાનું, મૂળ કારણ શું ? એ ન બંધાય એવો કંઈક ઉપાય ખરો ?” ત્યારે કહે છે, “કર્તાપણું ન થાય તો પુણ્ય-પાપ ના બંધાય.’ ‘કર્તાપણું કેવી રીતે ના થાય ?” ત્યારે કહે છે, “જ્યાં સુધી એજ્ઞાન છે, ત્યાં સુધી ‘હું કરું છું’ એ ભાન છે. હવે ખરેખર ‘કરે છે કોણ', એ જાણે તો કર્તાપણું ના થાય.” પુણ્ય-પાપની જે યોજના છે એ આ બધું કરે છે અને આપણે માનીએ છીએ, ‘મેં કહ્યું'. નફો તો આપણને એ જ કરાવડાવે છે, પુણ્યના આધારે નફો આવે ત્યારે આપણે જાણીએ કે ‘ઓહોહો, હું કમાયો' અને જ્યારે પાપનાં આધીન થાય ત્યારે ખોટ જાય છે, ત્યારે ખબર પડે છે કે આ તો મારે આધીન નથી. પણ પાછો બીજે વખતે પોતાને આધીન થયુંને એટલે ભૂલી જાય છે. એટલે પાછો કર્તા થઈ જાય છે. આ પાંચ ઇન્દ્રિયથી જે કરવામાં આવે છે, પાંચ ઇન્દ્રિયથી જે બધું અનુભવમાં આવે છે, આ જગત જે ચાલી રહ્યું છે એ બધી જ પરસત્તા છે અને એમાં આ લોકો કહે છે કે “આ મેં કર્યું.’ એ કર્મનો કર્તા થયો, એ જ અધિકરણ ક્રિયા છે, એટલે પછી ભોક્તા થવું પડે છે. હવે કર્તાપણું કેમ મટે ? ત્યારે કહે છે, જ્યાં સુધી આરોપિત ભાવ છે ત્યાં સુધી કર્તાપણું મટે જ નહીં. પોતે પોતાના મૂળ સ્વરૂપમાં આવે તો કર્તાપણું મટે. એ મૂળ સ્વરૂપ કેવું છે ? ત્યારે કહે, ‘ક્રિયાકારી છે નહીં. એ પોતે ક્રિયાકારી જ નથી એટલે એ કર્તા થાય જ નહીં ને !' પણ આ તો અજ્ઞાનતાથી ઝાલી પડ્યો છે કે “આ હું જ કરું છું’. એવું એને બેભાનપણું રહે છે અને એ જ આરોપિતભાવ છે. અંતે તો પર થવાનું પુણ્ય-પાપથી.... પુણ્યે એ ક્રિયાનું ફળ છે, પાપેય ક્રિયાનું ફળ છે અને મોક્ષ એ દાદાશ્રી : જન્મને અને પાપ-પુણ્યને લેવા-દેવા નથી. જન્મ થયાં પછી પાપ-પુણ્ય એને ફળ આપનારું છે. યોનિ શેનાં આધારે થાય છે ? કે, ‘હું ચંદુભાઈ જ છું અને આ મેં કર્યું” એમ બોલેને, તેની સાથે યોનિમાં બીજ પડ્યું. હવે કર્તાપણું કેમ છે ? ત્યારે કહે, ‘કરે છે બીજો, પરશક્તિ કામ કરી

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40