Book Title: Padarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
શ્રીસિદ્ધદંડિકાસ્તવ
૧ ૩૫
શ્રીદેવેન્દ્રસૂરિ વિરચિત
શ્રીસિદ્ધદંડિકાસ્તવ
પદાર્થસંગ્રહ શ્રી સિદ્ધદંડિકાસ્તવની રચના શ્રીદેવેન્દ્રસૂરિજીએ કરેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તક ટિપ્પણી છે. આ બંનેના આધારે નીચેના પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
ઋષભદેવ ભગવાનના કેવળજ્ઞાન પછી અંતર્મુહૂર્તથી માંડીને પરંપરામાં અસંખ્ય પુરુષો સુધી જે મોક્ષગમન કહ્યું છે તેમાં આ પ્રમાણે સિદ્ધદંડિકાઓ થઈ છે.
અષ્ટાપદપર્વત ઉપર સુબુદ્ધિ મુનિએ સગરચક્રવર્તીના દીકરાઓને શત્રુંજય ઉપર સિદ્ધ થયેલા ભરત ચક્રવર્તીના વંશના રાજાઓ જે પ્રમાણે કહ્યા તે પ્રમાણે હું કહીશ. (૧) અનુલોમસિદ્ધદંડિકા -
ઋષભદેવપ્રભુના વંશજ, ત્રણ ખંડના અધિપતિ આદિત્યયશા વગેરે ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૧ રાજા અનુત્તરમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૧ રાજા અનુત્તરમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૧ રાજા અનુત્તરમાં ગયા. આમ અસંખ્યવાર જાણવું.