________________
લબિ તણા ભંડાર તેને સાધવા ન પ્રેરાય ?
આમ વિચારી આજ્ઞાધારક ગૌતમસ્વામી પ્રભુ પાસે પહોંચ્યા પ્રદક્ષિણા કરી વંદન ર્યા પછી પ્રભુ પાસે પોતાના ભાવ રજૂ કર્યા. કેવળજ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા તો સર્વ ભાવિના જાણનાર હતા કે ગૌતમની આ યાત્રા અનેક જીવોના આત્માર્થનું કારણ થવાની છે. પ્રભુએ તેમને વાત્સલ્યભાવે સંમતિ આપી.
બાળસ્વભાવી નિર્દોષ ગૌતમસ્વામીનું મન નાચી ઊઠયું. અહો ! હવે તો મોક્ષ પ્રગટ થયો જ સમજો અને શીધતાથી યાત્રા માટે રવાના થયા.
ગૌતમને અષ્ટપદ પહોંચવું કંઈ કઠણ નહોતું. અનેક લબ્ધિના ભંડાર તેઓ પ્રભુ પાસેથી ઉદ્યાનમાંથી બહાર નીકળ્યા કે તરત જ આકાશગામીવિદ્યાના બળે ગણત્રીની પળોમાં અષ્ટાપદ પર્વતની તળેટીએ જઈને ઊભા રહ્યા.
તે સમયે ગિરિરાજની તળેટીમાં કોટિન, દિન અને સેવાલ નામના ત્રણ તાપસો દરેક પોતાના પાંચસો પાંચસો શિષ્યોના પરિવાર સાથે પવિત્ર ગિરિની યાત્રા કરવાના કામી હતા. તે સૌને મુક્તિની લગની લાગી હતી. પણ ગિરિરાજની ટોચે પહોંચવા તેમની પાસે લબ્ધિ ન હતી. આથી પ્રથમ તે પ્રાપ્ત કરવા તેઓએ ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી.
કોટિન અને તેમના પાંચસો ૫૦૦ શિષ્યો ઉપવાસને પારણે ઉપવાસ કરતાં અને તે સ્થાને મળતાં કંદમૂળ આદિનો આહાર કરી તપશ્ચર્યા કરી, પ્રથમ શિખર સુધી પહોંચ્યા હતા.
દિન તાપસના પાંચસો શિષ્યો તેમની સાથે બે ઉપવાસના પારણે બે ઉપવાસ કરી કેવળ વૃક્ષના પાંદડા ખાઈને પારણું કરતાં, તેઓ આ તપના બળે બીજા શિખર સુધી પહોંઆ હતા.
ત્રીજા તાપસ સેવાલ તેમના શિષ્યો સાથે ત્રણ ઉપવાસના પારણે ફક્ત સૂકી સેવાળનો આહાર કરી તપના બળે, ત્રીજા શિખરે
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org