Book Title: Labdhitana Bhandar
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 157
________________ લબિ તણા ભંડાર ભગવાન : “હે ગૌતમ ! આ સંસારમાં જીવો આશ્રવ દ્વારા પ્રવૃત્ત થઈને આત્મારંભી હોય છે. પરારંભી હોય છે. તદુભયારંભી હોય છે. મુનિજનો અનારંભી હોય છે.' ટૂંક નોંધ : સંસારી જીવોને મન વચન કાયાના યોગ દ્વારા તથા કષાયભાવથી જે આશ્રવ થાય છે તે આરંભ છે તેના ૧૦૮ ભેદ છે. આરંભ સમારંભ અને સમરંભ એ ત્રણ ભેદને મન વચન કાયાના ત્રણ યોગ વડે ગુણતાં ૩ ૪૩ = ૯ વળી કરવું. કરાવવું અને અનુમોદવું તે ત્રણ પ્રકારે ગુણતાં ૯ ૪૩ = ૨૭ ભેદ થયા. તેનો કોધ, માન, માયા, લોભ આ ચાર કષાય વડે ગુણતા ૨૭ ૪૪ = ૧૦૮ ભેદ આરંભના છે. સંરંભ : માનસિકપણે સંગ્રહ કરેલા ફોધ, માન, માયા અને લોભ સંબંધી કષાયજન્ય વૃત્તિઓની વર્તના તે સંરંભ છે. રાગાદિભાવોના વિકલ્પ પ્રમાણે વૃત્તિઓનું પ્રગટ થયું તે સંરંભ છે. સમારંભ : મનની કષાયજન્ય વૃત્તિઓથી ઉત્તેજિત થઈ અન્ય જીવોનો ઘાત કરવો, તથા પોતાના જ અધ:પતન માટે શસ્ત્રાદિ વસાવવા, કુસંગ દ્વારા અસદાચાર કરવો, વગેરેને માટે જે સામગ્રી એકઠી કરવી તે સમારંભ છે. આરંભ : ઉપર પ્રમાણે સામગ્રી મેળવીને અન્યને પીડા આપવી કે તેના પ્રાણ હરી લેવા તે આરંભ છે. આત્મારંભી : આ પ્રમાણે દુર્બુધ્ધિવશ આત્મા વિવશ થઈ આરંભમાં જોડાઈ કુકર્મ કરે છે. મહશે પર ઘાત કરવારૂપ દુષ્ટવૃત્તિ દુર્ભવ્ય કે અધોગામી જીવને હોય છે. તે સ્વયં પોતે જ આરંભના એ કાર્યો કરવા પ્રેરાય છે. અને પુન: દુઃખદાયી કર્મ ઉપાર્જન કરે છે. પરારંભી : કોઈ જીવ કુસંગ દ્વારા પ્રેરાઈને અન્યની સહાયથી પરને પીડા આપવા જે આરંભ કરે છે, તે પરારંભી છે. તદુભયાનંદી : દુબુધ્ધિવશ પોતે આરંભ કરે અને અન્ય પાસે કરાવે ૧૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210