Book Title: Labdhitana Bhandar
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 180
________________ લબ્ધિ તણા ભંડાર નિવૃત્તિ છે. આ ચાર કષાયોજનિત ભાવોને કારણે જીવ અનાદિકાળથી સંસારની ચારે ગતિમાં ભ્રમણ કરતાં જીવને કાશ્મણ શરીર ભૂતની જેમ વળગેલું છે. એ સર્વ કર્મોમાં મોહનીય કર્મ પ્રબળ છે. તેની વિદ્યમાનતામાં જીવને ક્રોધમોહ, માનમોહ, લોભમોહ અને માયામોહનો ઉદય થયા વગર રહેતો નથી. અને ઉદય સમયે વળી ક્રોધાદિનો નવો બંધ થયા વગર રહેતો નથી હોધાદિ કરવાની અનિચ્છા છતાં, પૂર્વ કર્મના યોગે જે જે જીવો સાથે નિયાણાં બાંધેલા છે, તેનો યોગ થયા કરે છે. ત્યારે જીવનું બળ પણ ત્યાં હીન બની જાય છે, અને અનિચ્છા થતાં જીવ જોધાદિને વશ થાય છે. દોધાદિ કષાયો સ્વરૂપજ્ઞાન - કેવળજ્ઞાનને બાધક છે, અને સંસારની વૃદ્ધિનું કારણ છે. જો આ વાતની જીવને શ્રધ્ધા થાય તો જે કારણો કષાય જનિત છે તેવા ચેતન કે અચેતન પદાર્થો અનુરૂપ જાણી તેનો ત્યાગ કરવો, છતાં માયા એવી દુષ્કર છે કે તે જીવને માર્ગ ભૂલાવી દે છે. માટે શ્રી અરિહંત ઉપદેશ છે કે હે ચેતન ! દોધાદિ તારા કટ્ટર દુશમનો છે, માટે મિથ્યાજ્ઞાનનો ત્યાગ કર અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કર, જેથી સર્વ શત્રુઓને પરાસ્ત કરવા તું સમર્થ બને. કાયયોગ સંબંધી ટૂંકનોંધ : જીવને શરીરની વિદ્યમાનતામાં ભાષાયોગ અને મનોયોગ હોય છે. આથી શરીર સંબંધી પ્રશ્ન પૂછતાં ગૌતમસ્વામી કહે છે કે હે પ્રભુ ! આત્મા અને શરીર ભિન્ન છે કે અભિન્ન છે!” ભગવાન: “હે ગૌતમ ! આત્મા અને શરીર એકક્ષેત્રાવગાહી અપેક્ષાએ એકરૂપ - અભિન્ન છે, અને શરીર જડ હોવાથી તથા આત્મા ચૈતન્યસ્વરૂપ હોવાથી તે શરીરથી ભિન્ન પણ છે. જો આત્મા કેવળ શરીરરૂપ હોય, તો એક જ હોય, તો જેમ શરીર બળતા હાથ પગાદિ બળીને નાશ પામે છે, તેમ આત્માનો પણ નાશ થવો જોઈએ પણ નાશ ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210