Book Title: Labdhitana Bhandar
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 156
________________ લબ્ધિ તણા ભંડાર ગુરુ શિષ્ય સંવાદ - ૨ (પ્રશ્નોત્તરો શ્રી ભગવતીસૂત્રના આધારે) ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે શિષ્યત્વ પામ્યા હતા. ત્યાર પછી નિષ્કામ ભક્તિ દ્વારા આત્મવિશુધ્ધિના બળે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું હતું. છતાં તેઓ અત્યંત સરળ અને વિનયી હોવાથી, અનકવિધ પ્રશ્નો પૂછી પોતાના જ્ઞાનની વૃધ્ધિ કરતાં, આથી પર્મદામાં ઉપસ્થિત ભવ્યજીવોને પણ પ્રભુની કલ્યાણમયી વાણીને લાભ મળતો રહેતો. આત્મશ્રેયને કારણભૂત આ પ્રશ્નોના કર્તા મુખ્યત્વે ગણધર ગૌતમ તો હતાં ઉપરાંત અન્ય ગણધરો, તીર્થિકો અને અન્ય જિજ્ઞાસુઓ પણ હતા. કાળક્રમે જિનવાણી ગ્રંથબધ્ધ થતાં, આ પ્રશ્નોતરોની ગ્રંથમાં રચના થઈ. તેમાં સવિશેષ શ્રી ભગવતીસૂત્રમાં હજારો પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થયો હતો. પ્રસ્તુત ગ્રંથ આગમોમાં સર્વોત્કૃષ્ટ મનાય છે. વર્તમાનમાં આ ગ્રંથની વાચના આચાર્યભગવંતો આપતા હોય છે. તેમાંથી કેટલાક પ્રશ્નોતરો અત્રે ટૂંક નોંધ રૂપે લીધા છે. તે કાળે તે સમયે રાજગૃહ નગરીની બહાર ઇશાન ખૂણામાં આવેલા ગુણશીલચૈત્યમાં ભગવાન મહાવીર પધાર્યા હતા, ત્યારે ઇન્દ્રમહારાજાએ સમવસરણની રચના કરી. ભગવાન તેમાં વિરાજમાન થયા, ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર આદરસહિત ઉભા થયા. અને ભગવાનની નજીક જઈ અંજિલ જોડી પ્રશ્નો પૂછતા હતા. આરંભ. સરંભ સમારંભ વિષે ગૌતમ : હે ભગવંત ! જીવ આત્મારંભી છે ! પરારંભી છે ? તદુભયારંભી છે કે અનારંભી છે !” Jain Education International For Private & Personal Use Only ૧૩૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210