SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ગુરુ શિષ્ય સંવાદ - ૨ (પ્રશ્નોત્તરો શ્રી ભગવતીસૂત્રના આધારે) ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે શિષ્યત્વ પામ્યા હતા. ત્યાર પછી નિષ્કામ ભક્તિ દ્વારા આત્મવિશુધ્ધિના બળે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું હતું. છતાં તેઓ અત્યંત સરળ અને વિનયી હોવાથી, અનકવિધ પ્રશ્નો પૂછી પોતાના જ્ઞાનની વૃધ્ધિ કરતાં, આથી પર્મદામાં ઉપસ્થિત ભવ્યજીવોને પણ પ્રભુની કલ્યાણમયી વાણીને લાભ મળતો રહેતો. આત્મશ્રેયને કારણભૂત આ પ્રશ્નોના કર્તા મુખ્યત્વે ગણધર ગૌતમ તો હતાં ઉપરાંત અન્ય ગણધરો, તીર્થિકો અને અન્ય જિજ્ઞાસુઓ પણ હતા. કાળક્રમે જિનવાણી ગ્રંથબધ્ધ થતાં, આ પ્રશ્નોતરોની ગ્રંથમાં રચના થઈ. તેમાં સવિશેષ શ્રી ભગવતીસૂત્રમાં હજારો પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થયો હતો. પ્રસ્તુત ગ્રંથ આગમોમાં સર્વોત્કૃષ્ટ મનાય છે. વર્તમાનમાં આ ગ્રંથની વાચના આચાર્યભગવંતો આપતા હોય છે. તેમાંથી કેટલાક પ્રશ્નોતરો અત્રે ટૂંક નોંધ રૂપે લીધા છે. તે કાળે તે સમયે રાજગૃહ નગરીની બહાર ઇશાન ખૂણામાં આવેલા ગુણશીલચૈત્યમાં ભગવાન મહાવીર પધાર્યા હતા, ત્યારે ઇન્દ્રમહારાજાએ સમવસરણની રચના કરી. ભગવાન તેમાં વિરાજમાન થયા, ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર આદરસહિત ઉભા થયા. અને ભગવાનની નજીક જઈ અંજિલ જોડી પ્રશ્નો પૂછતા હતા. આરંભ. સરંભ સમારંભ વિષે ગૌતમ : હે ભગવંત ! જીવ આત્મારંભી છે ! પરારંભી છે ? તદુભયારંભી છે કે અનારંભી છે !” Jain Education International For Private & Personal Use Only ૧૩૫ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy