SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર ભગવાન : “હે ગૌતમ ! આ સંસારમાં જીવો આશ્રવ દ્વારા પ્રવૃત્ત થઈને આત્મારંભી હોય છે. પરારંભી હોય છે. તદુભયારંભી હોય છે. મુનિજનો અનારંભી હોય છે.' ટૂંક નોંધ : સંસારી જીવોને મન વચન કાયાના યોગ દ્વારા તથા કષાયભાવથી જે આશ્રવ થાય છે તે આરંભ છે તેના ૧૦૮ ભેદ છે. આરંભ સમારંભ અને સમરંભ એ ત્રણ ભેદને મન વચન કાયાના ત્રણ યોગ વડે ગુણતાં ૩ ૪૩ = ૯ વળી કરવું. કરાવવું અને અનુમોદવું તે ત્રણ પ્રકારે ગુણતાં ૯ ૪૩ = ૨૭ ભેદ થયા. તેનો કોધ, માન, માયા, લોભ આ ચાર કષાય વડે ગુણતા ૨૭ ૪૪ = ૧૦૮ ભેદ આરંભના છે. સંરંભ : માનસિકપણે સંગ્રહ કરેલા ફોધ, માન, માયા અને લોભ સંબંધી કષાયજન્ય વૃત્તિઓની વર્તના તે સંરંભ છે. રાગાદિભાવોના વિકલ્પ પ્રમાણે વૃત્તિઓનું પ્રગટ થયું તે સંરંભ છે. સમારંભ : મનની કષાયજન્ય વૃત્તિઓથી ઉત્તેજિત થઈ અન્ય જીવોનો ઘાત કરવો, તથા પોતાના જ અધ:પતન માટે શસ્ત્રાદિ વસાવવા, કુસંગ દ્વારા અસદાચાર કરવો, વગેરેને માટે જે સામગ્રી એકઠી કરવી તે સમારંભ છે. આરંભ : ઉપર પ્રમાણે સામગ્રી મેળવીને અન્યને પીડા આપવી કે તેના પ્રાણ હરી લેવા તે આરંભ છે. આત્મારંભી : આ પ્રમાણે દુર્બુધ્ધિવશ આત્મા વિવશ થઈ આરંભમાં જોડાઈ કુકર્મ કરે છે. મહશે પર ઘાત કરવારૂપ દુષ્ટવૃત્તિ દુર્ભવ્ય કે અધોગામી જીવને હોય છે. તે સ્વયં પોતે જ આરંભના એ કાર્યો કરવા પ્રેરાય છે. અને પુન: દુઃખદાયી કર્મ ઉપાર્જન કરે છે. પરારંભી : કોઈ જીવ કુસંગ દ્વારા પ્રેરાઈને અન્યની સહાયથી પરને પીડા આપવા જે આરંભ કરે છે, તે પરારંભી છે. તદુભયાનંદી : દુબુધ્ધિવશ પોતે આરંભ કરે અને અન્ય પાસે કરાવે ૧૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy