Book Title: Labdhitana Bhandar
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 171
________________ લબ્ધિ તણા ભંડાર વચ્ચે ભિન્નતા છે. જ્ઞાન એ જ આત્મા છે કે અજ્ઞાન એ જ આત્મા છે? કેવળજ્ઞાની પરમાત્માએ જવાબમાં કહ્યું કે "હે ગૌતમ ! આત્મા અપેક્ષાએ જ્ઞાનસ્વરૂપ છે. વાસ્તવમાં જ્ઞાન જ સ્વયં આત્મા છે. જેમ જમીનમાંથી પત્થરરૂપે નીકળેલો હિરો હજી હિરારૂપે પ્રગટ થયો નથી, તેમ જીવ અજ્ઞાન અને મિથ્યાત્વની મલિનતા યુક્ત હોવાથી તે જ્ઞાનસ્વરૂપે પ્રગટ થયો નથી, ત્યાં સુધી તેની અવસ્થા અજ્ઞાનમય છે. અનાદિકાળથી જીવ કર્મ સાથે સંબંધવાળો છે. છતાં જ્ઞાન એ આત્માનો ગુણ હોવાથી સહભાવી છે. અને કર્મ તે કમભાવી અવસ્થા છે. જ્ઞાનગુણ સહભાવી હોવાથી ક્યારેય પણ આત્માથી, નિગોદથી માંડીને સિધ્ધ અવસ્થા સુધી, અલગ નહિ થાય. અને કર્માદિ પર્યાયો સમયવર્તી કમભાવી હોવાથી તે અલગ થઇ શકે છે. જયાં સુધી મોહનીય આદિ કર્મોનો પ્રભાવ આત્મા પર છે ત્યાં સુધી જીવ સંસારમાં પરિભ્રમણ પામે છે. છતાં પણ ભવ્યાત્માની યોગ્યતા થતાં જેમ નદીનો પત્થર અથડાઈ Hટાઈને ગોળાકાર બને છે તેમ તે જીવ કષાયોનો પરાજય કરવા સમર્થ બને છે. અનાદિકાળના રાગદ્વેષરુપ મિથ્યાત્વની ગ્રંથિને મોળી પાડી દે છે. અને કેમે કરી જીવ શુધ્ધ અધ્યવસાય વડે ગ્રંથિને છેદી સમક્તિ પ્રાપ્ત કરે છે. અર્થાત જ્ઞાનાવરણીય કર્મ રૂપાંતર થઈ સમ્યગજ્ઞાનરૂપે પ્રગટ થાય છે. આથી છે ગૌતમ ! આત્મા સ્વભાવે જ્ઞાનરૂપ છે અને અપેક્ષાએ અજ્ઞાનરૂપ છે. જ્ઞાન અને આત્મા અભિન્ન છે. જ્ઞાનગુણ અરૂપી છે તેથી તે આત્માનો છે. જ્ઞાનગુણ સર્વ પદાર્થોને જાણે છે તેથી પ્રગટ લક્ષણ વાળો જણાય છે. જડ પદાર્થ રૂપી છે તેથી તેમાં અરૂપી ગુણ ન હોય. અજ્ઞાન એ આત્માની વિકારી પર્યાય છે. છતાં અજ્ઞાન આત્મરૂપ નથી કારણ કે મિથ્યાત્વાદિ કર્મ જડ છે. તેની હાજરીમાં થતું જ્ઞાન ૧૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210